SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - - 11 ડાહ્યો વૈદ્ય આપે તો સોમલ પણ ખવાય પણ એ તો ડાહ્યા વૈદ્યનું આપેલું ને? ભગવાન પાસે બધા આવતા એ દૃષ્ટાંત આજે લેવાય ? એમનું જીવન, એમની કાર્યવાહી, એમના અતિશય, એ બધું સામે રાખીને વાત કરો. જેનામાં અતિશય છે એનાં દર્શન માત્રથી સામાના અશુભ કર્મ ક્ષય થાય છે. શુભ અશુભ કર્મ તો માનો છો ને ? વસ્તુના પલટા સાથે ભાગ્યનો પલટો થાય છે. મનુષ્યની ગંધ ન સહી શકે એવાં જાનવરો સમોસરણમાં આવી શાંતિથી બેસી જાય એનું કાંઈ કારણ ખરું કે નહિ ? જો એમની જ વાત કરવી હોય તો સાપ તથા વાઘને પણ અહીં લાવો અને એ આવે ત્યારે બોલ્યાચાલ્યા વિના બેસી જ રહેજો. આજના લોકો ભગવાન મહાવીરના નામે, એમના આગમોના નામે, એમની ઉદારતાના નામે જેટલી વાતો ફેલાવી રહ્યા છે તેનાથી ઠગાતા નહિ. એને પૂછજો કે તું તો આ બધું માને છે ને ? એ જે વસ્તુ સામે ધરે તેને અડતા જ નહિ. એ લોકો વાતો મોટી મોટી કરશે અને નાખશે કચરો. બકરી કઢાવી ઊંટ પેસાડવાની તેમની દાનત છે. અત્યારે અમારાં સ્થાનો આટલાં નિરુપદ્રવી છતાં અમારાં પરિણામ ટકતાં નથી તો વાઘ, વરુ આ સ્થાનોમાં પેસે તો શું થાય ? અત્યારે પણ જૈનો ગણાતામાં ઘણા પૂજા કરતા નથી તો શંભુમેળો ભેગો થાય ત્યારે શું થાય ? દરવાજા મોટા કરશો તો બકરી કાઢવા જશો અને ઊંટ પેસી જશે. તે લોકો તમારી સામે અમુક વસ્તુ ધરે તો તેની ચર્ચામાં નહિ ઊતરતા. એ વાત સાંભળી ન સાંભળી કરજો અર્થાત્ સાંભળી જ નથી એમ રાખજો. શાસનમાં રહો તો શાસનના કાયદા માનો ! શ્રી તીર્થંકરદેવોથી અનંતર શ્રી સંઘ પૂજ્ય છે. શાસ્ત્ર વર્ણવેલું શ્રી સંઘનું સ્વરૂપ તમને સમજાવવું છે. તીર્થંકરદેવોના અભાવમાં શ્રી સંઘ એ જ તીર્થપતિ. સંઘને રથની, મેરુની, જહાજની, સાગરની, સૂર્યની, ચંદ્રની, ચક્રની, કમળની એમ ઘણી ઉપમાઓ શાસ્ત્ર આપી છે. એવા સંઘને તો આપણું ત્રણે કાળ વંદન ચાલુ છે. તીર્થકરો જેને નમે એને તમે અમે ન નમીએ ? સ્વરૂપ બરાબર સમજો તો તમે કોઈથી ઠગાઓ નહિ. બે આદમી ઝઘડે ત્યાં ગમે તેમ બોલે પણ કોર્ટે જાય ત્યાં લુચ્ચા માણસને બોલવું હોય તોય કાયદેસર જ બોલાય, એલફેલ ન બોલાય. અંગ્રેજો માનપૂર્વક જીવે એનું કારણ કે એ ગમે તેવો હોદ્દેદાર હોય પણ કાયદાને શરણે થઈ જાય. કાયદાની ચૂક આવે ત્યાં તરત ટોપો ઊતારે. વાઇસરોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy