SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯: “સંઘ” વગેરે શબ્દોના અર્થ સમજો ! 135. - J-132લિ. સં. ૧૯૮૬ માગસર સુદ-૧૨ રાનિવાર, તા. ૧૪-૧૨-૧૯૨૯ • ધર્મા જાગતા ભલા, પાપી ઊંઘતા ભલા : ૯ ધૂનનની આડે આવે તે સંધ નથી : તજવાની વાત આવે ત્યાં ટકનારા ઓછા : છે આપણે ત્યાં પદની પૂજા માની છે : • માર્ગાનુસારી પણ સત્યનો ગવેષક છે : છે ભગવાન માલકોશ રાગમાં દેશના દે : • દેશકાળ પ્રમાણેનાં શાસ્ત્રો તો નિસ્પ્રાણ છે . • ટોળું અને સંઘનો ભેદ સમજો ! • એ વાતો સાંભળવા જેવી નથી : ૦ શબ્દના ભાવ સુધી પહોંચો : • શાસનમાં રહો તો શાસનના કાયદા માનો! • સ્વરૂપદર્શન એ નિંદા નથી : • સંઘનું સ્વરૂપ સમજાવવા હવે સંઘસૂત્ર : વિષય : શાસનમાં રહેવા માટે શાસનના કાયદા માનવા જરૂરી, ત્યાગ વૈરાગ્યની બાબતમાં સંઘની ફરજ. પદ અને વ્યક્તિનો ભેદ. ધૂતવાદનું નિરૂપણ કરતાં શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ સાવધાનીથી સાંભળવા અંગે ટકોર કરી. કારણ કે, પ્રમાદી ત્યાગની તકોને ગુમાવી દે છે. અન્ય ધર્મોમાં પણ તપ-ત્યાગ તો છે, પણ ખરું ધ્યેય નથી તેથી ઊંધે રવાડે ચડી ગયેલા છે. શાસ્ત્રને અનુસાર જાતને ઢાળીએ તો જ શ્રેય, બાકી શાસ્ત્રને પોતાની કે દેશકાળની જેમ ઢાળવા જનાર તો સ્વ-પરનો નાશ નોંતરે શાસનમાં રહેવા શાસનના કાયદા માનવા જરૂરી છે. ત્યાગની વાતમાં આડે આવે તે સંઘ ન કહેવાય, તેનામાં પૂજ્યત્વ ન રહે. તીર્થંકરો પણ જે સંઘને (તીર્થને) નમે અને આચાર્ય પણ જે પદને નમે તેનું પૂજ્યત્વ કયા કારણે? એ સંઘની ફરજ શી ? સંઘના નામે આજે કેવું ડીંડવાણું ચાલે છે? એ અને એવી અનેક બાબતોને અત્રે સુંદરતમ શબ્દોમાં વણી લેવામાં આવેલ છે. મુવાક્યાત • દુરાગ્રહીને તો સર્વજ્ઞો પણ સમજાવી શકતા નથી. • ધ્યેય વગર બળવાન પણ માર્ગથી ખસી જાય. • સ્વદયામાં પરદયા ક્યારે આવે ? પરના ઘાતમાં પોતાનો ઘાત માને તો ! • સંઘ જ ધૂનનની આડે આવે એ ન ચાલે. સંઘથી કેવળજ્ઞાનીએ કહેલા ધૂનનની આડે ન અવાય. જે એની આડે આવે તે સંઘ જ નથી. ૦ પદ તથા વ્યક્તિમાં ભેદ છે, વ્યક્તિમાં નાના-મોટાપણું જોવાય, પદમાં તો બધાને નમવાનું. • નાથ તે કે જે આશ્રિતનું યોગક્ષેમ કરે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ન પામ્યા હોય તેને પમાડે અને પામ્યા હોય તેની રક્ષા કરે. , સર્વસ્ત પાસે ઝૂકો તો સંઘત્વ ટકશે, નહિ તો સળગી જશે. » પૂજ્ય અને પૂજાના વિરોધીનું ટોળું તે સંઘ નથી, એ તો હાડકાંનો ઢગલો છે. , અસત્યને પંપાળે તે સત્યનો સેવક નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy