SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ 1991 – ૧૮ ઃ જ્યાં ભાવના લુખી ત્યાં સમ્યગ્દર્શન નહિ - ૧૩૪ - ૨૭૩ નીચે જંતુ આવી જાય તેનો પણ ઉપયોગ નહિ રાખનારો, પ્રભુની આજ્ઞા શી રીતે પાળવાનો ? શ્રી જિનેશ્વરદેવનો ભક્ત છે કે જે માર્ગને યોગ્ય ક્રિયા જીવનમાં ઉતારે. ગુણીને હાથ પણ ન જોડે એ ભગવાનનો ભક્ત ગણાય ? પ્રભુને વાંદવા જતાં શ્રેણિક રાજાએ પ્રસન્નચંદ્ર રાજર્ષિને ધ્યાનસ્થ દશામાં ઊભેલા જોયા. એમને તરત વિચાર થયો કે આ પરમ મહર્ષિને વંદન કર્યા વિના આગળ ન જવાય. એ રાજર્ષિ પ્રભુના શિષ્ય હતા. શ્રેણિક રાજા તરત હાથી પરથી નીચે ઊતર્યા. પાંચસાત કદમ ચાલીને મુનિ સમીપે ગયા. વંદના અને સ્તુતિ કરીને પછી આગળ ચાલ્યા. આ ગુણનું બહુમાન છે. ઘસડાવું અને ધસવું એ બેમાં ફેર છે ઃ આજે પોતાને ગુણાનુરાગી, સગુણાનુરાગી અને સજ્જનોના સાથી કહેવરાવનારા ઘણા છે પણ એને સજ્જનની દરકાર પણ હોતી નથી, એ કેમ ચાલે ? ગુણને અનુસરતી ક્રિયા ન હોય અને પોતામાં ગુણ છે એમ બોલ્યા કરે એ તો મૂર્ખ ગણાય. તિજોરીનું તળિયું સાફ હોય છતાં પોતાને લક્ષાધિપતિ માનેમનાવે એ તો ગાંડામાં ખપે. સંસાર ખોટો માન્યા પછી ત્યાં રહેતાં હૃદયમાં ચીરો કેમ ન પડે ? એ નિરાંત કરીને ત્યાં બેસી રહે ખરો ? કરિયાતાનો ઉકાળો કડવો જાણ્યા પછી પીવો તો દૂર રહ્યો પણ મોઢા પાસે લાવતાં પણ ત્રાસ થાય છે. એની ગંધથી પણ મોઢું બગડી જાય છે. જે ચીજ ખોટી માની ત્યાં વલણ કેવું હોય ? કર્મોદયથી પાપ કરવું પડતું હોય પણ હૃદયથી ન કરતા હો તોયે ઠીક. સમ્યગ્દષ્ટિ પાપકરણીમાં બંધ ઓછો કરે અને મિથ્યાદષ્ટિ વધારે કરે. સમ્યગ્દષ્ટિ પણ હિંસાદિ કરણી કરે છે પણ ઘસડાયા કરે છે જ્યારે મિથ્યાદૃષ્ટિ ધસતો કરે છે. ઘસડાવું. અને ધસવું એ બેમાં ફેર છે. વેઠિયો વેઠે જાય પણ હૈયાથી ન જાય, જવું પડે માટે ન છૂટકે જાય. ધર્મીનો ગમો એ અધર્મીનો અણગમો : પેઢીમાં શેઠને લાખ આવે કે જાય એ વખતે શેઠના હૃદયની સ્થિતિ અને નોકરના હૃદયની સ્થિતિમાં ઘણો ફેર હોય છે. નોકર તો પચાસનો ગ્રાહક. નોકર જેવી સ્થિતિ સમ્યગ્દષ્ટિની સંસાર પ્રત્યે હોય. સંસાર ખોટો લાગે તો હૈયાની સ્થિતિ ફરી જાય. જે ગુણને ચાહો તે ગુણને જીવનમાં ઉતારો તો જ ગુણ ખીલે, નહિ તો આવેલો ગુણ ચાલ્યો જાય. ગુણની પ્રાપ્તિ તો કઠિન છે પણ એનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy