________________
૧૭ : સમ્યગ્દર્શન સાથે આચારનો સંબંધ - ૧૩૩
એમ કહેતો નથી, એ કેટલી ગંભીરતા ? મુનિને આપેલા દાનના આનંદમાં એ એટલો તરબોળ છે કે બીજું કાંઈ કહેવાની એને ફુ૨સદ જ નથી. રંકને ઘેર મુનિ આવ્યા એ મહાન ભાગ્યોદય, એમ એ વિચારી રહ્યો છે. આજની વાત તો થાય તેમ નથી. શેર આપીને મણની વાત ન કરે ત્યાં સુધી જીવને ઠંડક ન વળે. વાતવાતમાં એ બોલે કે અમે છીએ માટે આ સાધુઓ જીવે છે.
1975
ભગવાનના અગિયાર ગણધરોએ એમ ન કહ્યું કે ‘અમે ન હોત તો ભગવાનની દ્વાદશાંગી કોણ રચત ?' પણ એમણે એમ કહ્યું કે ‘ભગવાન ન હોત તો અમે દ્વાદશાંગી પામત ક્યાંથી ?' એ વાત આજનાઓને ગળે નહિ ઊતરે. ઉદાર તો પોતાની ઉદારતાને સફળ કરવા પાત્ર શોધે. પાત્ર મળે ત્યાં ઝૂકે. મુનિપણામાં, દેશવિરતિપણામાં અને સમ્યગ્દષ્ટિપણામાં રહેલાઓમાં તે તે ભૂમિકાના ગુણો જોઈએ અને તેને અનુરૂપ કરણી જોઈએ. એ પણ પ્રભુના શાસનમાં રહેલા ગણાય અને તે જ સંઘ. એ સંઘ પચીસમો તીર્થંકર. એની આજ્ઞા એ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાતુલ્ય માન્ય. એની આજ્ઞા ન માને તે વિરાધક પાપાત્મા. પણ કૂતરું તાણે ગામ ભણી અને શિયાળ તાણે સીમ ભણી, એવું ટોળું ન પાલવે. સંસારીનું ટોળું મોટું અને ત્યાગી થોડા. તમે તમારું જ ખેંચો તો અહીં શું રહે ? આ સ્થાનને અમારે તમારે બેયે દીપાવવાનું. આ સિવાયના આજ્ઞા બહારના તે સંઘ બહાર. આપણે મૂકતા નથી પણ આ તો સમજવાની વાત છે.
૨૭૭
સભા : આપોઆપ મુકાયેલા છે.
ગુણને યોગ્ય ક્રિયા જોઈએ જ :
મુનિવેષ રાખવો અને મુનિપણું વેચી ખાવું એ કેમ ચાલે ?
સભા : એ તો મુનિપણાનું ખૂન કહેવાય.
તુંબડીનો ગુણ પાણીમાં તરવાનો પણ માટી અને કાદવવાળી થાય કે તરત નીચે જ જાય. કાદવ વગરની હોય તો જ ઉ૫૨ ૨હે. ધર્મી કહેવરાવનારે ધર્મ કરવો જ જોઈએ. રોજ માલ ખાવા અને વિરાગી કહેવરાવવું એ નભે ? પૂર્વના મહાપુરુષોમાં વૈરાગ્ય હતો છતાં પોતાને રાગના બંધનમાં માનતા હતા. આજે રાગમાં પડ્યા છતાં વિરાગી કહેવરાવનારા વસ્તુતઃ વિરાગી નહિ પણ ઢોંગી છે. છ ખંડના માલીક ચક્રવર્તીને જૈનશાસનમાં સ્થાન શાથી ? છ ખંડની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org