SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ 1973 ૧૭ : સમ્યગ્દર્શન સાથે આચારનો સંબંધ ૨૬૫ દાળભાતના ડૂચા શા માટે ખવડાવો છો ? માટે ઉદારતા પણ છાજતી હોય, મૂર્ખાઈ ભરેલી ન હોય. સાચી ઉદારતા તે કે જેને જે યોગ્ય હોય તેને તે આપે. કાયરની કેડે તલવાર ન લટકાવાય, એ તો વગર મોતે મરે. અનંતજ્ઞાની પણ લાયકાત મુજબ જ સૌને આપે. - ૧૩૩ ધૂનનમાં તો બધાને જ મૂકવાના ઃ ભગવાનની વાણી એ તો સિંહનાદ છે. સિંહનાદ થાય એટલે શિયાળિયાં નાસભાગ કરે. સિંહનાં દર્શન તો દૂર રહો પણ અવાજ થતાં જ બધાં ભાગાભાગ કરે છે. અમને પણ કહ્યું કે આ સિંહનાદ સાવધાનીથી કરજો નહિ તો આવતાવેંત ખા લોકો ભાગવા માંડશે. હજી તો દીક્ષા માટે બોલ્યો પણ નથી ત્યાં તો ઘોંઘાટ પાલુ થઈ ગયો છે. હવે ધૂનનમાં તો દીક્ષા જ આવશે. આટલા વખતથી હજી પીઠિકા ચાલે છે, ધૂનનની વાત તો આવી જ નથી, છતાં કહે છે કે, મહારાજ દીક્ષા વિના કાંઈ બોલતા જ નથી. આઠ વર્ષની દીક્ષાની વાત કરી પણ કોઈને ખાપી ? તેમ છતાં ઘોંઘાટ શાથી ? ધૂનન તો હજી હવે થવાનું છે. ઑપરેશન ૫રુ થતાં સુધી ડૉક્ટર દરદીને શાંતિ રખાવે પણ ચીરો મૂકવાનો આવે ત્યારે પગાંસંબંધીને બહાર કાઢે. પછી ત્યાં ઊભા રહેવાનું કોઈ કહે તો એ ચાલે ? ખ઼રીર તો દરદીનું પણ સોંપ્યું ડૉક્ટરને. ધૂનન ચાલુ થાય ત્યાં મા, બાપ, બૈરી, છોકરાં વગેરે કાંઈ ન જોવાય. ત્યાં તો સહુ માટે એક છોડવાની જ વાત. બધાને ૪ છોડવાના. પછી તો દેવ, ગુરુ અને આગમ એ ત્રણનું જ શરણ. Jain Education International છોડવું પડે તે પહેલાં છોડી બતાવો : ધૂનન ખોટું નથી. એક યા બીજી રીતે એ થવાનું તો છે જ. કમને અને પરાધીનપણે પણ જવાનું તો નક્કી જ છે. સ્નેહીને છોડીને તમે અગર તમને છોડીને સ્નેહી જવાના તો છે જ. ધૂનન થવાનું તો નક્કી જ છે તો આપણે જાતે ૬ કેમ ન કરવું ? ધૂનન ક્યારે થવાનું એ નક્કી હોત તોય ધૂળ નાંખી. એ માજેય થાય ને કાલ પણ થાય અને અત્યારે પણ થાય છતાં એને અંગે કાંઈ પણ રવું નહિ એનું કારણ ? જે નક્કી રહેવાનું નથી એની આશા અને જે ટકવાનું છે તેની આશા નહિ, એ મહામૂર્ખતા છે. જવું પડે એના કરતાં સ્વેચ્છાએ જવું, નીકળવું એ શું ખોટું ? ઉદાર થઈને આપે એ દાતાર, પણ લુંટાઈ જાય તો ? લૂંટ ાવાની એ નક્કી છતાં દાતાર ન બને તે કેવો ? છોડવું પડે તે પહેલાં છોડી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy