SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ : બાળદીક્ષા માટે સંસ્કરણ કેટલું આવશ્યક ? 131 J.128વિ. સં. ૧૯૮૭. માગસર સુદ-૯. મંગળવાર તા. ૧૦-૧૨-૧૯૨૯ • જ્ઞાનીની આજ્ઞામાં મતિની સ્વચ્છંદતા ન ચાલે : ૦ ચારિત્રમાં વિલંબ કરવાનું ન કહેવાય : • ભૂલને સુધારવા માટે તો અભ્યાસ છે : • સ્થાન, વસ્તુ, આકારનો પ્રભાવ : ૦ કરણીય અકરણીયનો વિવેક કરો ! • વૈરાગ્યના અભ્યાસની જરૂર બાળકને જ? • ખરાબ ચીજ સેવવાની રજા ન મંગાય : ૭ દીક્ષા યોગ્યને જ આપીએ : ૦ અતિમુક્તકના ઉદ્ગારો : • વૈરાગ્ય લૂંટાઈ જાય એવી શાળા ન હોય : • દેશનામાં મુખ્ય ધ્વનિ દીક્ષાનો જ હોય : ૭ શ્રાવકનાં ઘરો એ જ વૈરાગ્યની શાળા : • જેવી વ્યક્તિ તેવી સમજાવવાની રીત : • બાળકમાં ધર્મસંસ્કાર જ નખાય : વિષયઃ અભ્યાસની મહત્તા, બાળદીક્ષા માટે જરૂરી બાબતો. ભૂલને સુધારવા અભ્યાસ કરનારની ભૂલ ઠપકાને પાત્ર નથી. તેમ વિધિના લક્ષ્યવાળાની અવિધિ પણ ક્ષમ્ય છે. અભ્યાસ કરતાં કરતાં જ ઉપર ઉપરની ભૂમિકાએ જવાની યોગ્યતા આવે.ખરાબ ચીજ સેવ્યા બાદ જ સારી ચીજ કરવાની યોગ્યતા આવે એવી માન્યતા ખોટી છે. સારું તો ગમે ત્યારે કરાય. આ પ્રધાન સૂર સાથે શરૂ થયેલ આ પ્રવચનમાં આજના જમાનાવાદી સુધારકો (!) ઉપર તેજાબી ચાબખાં ફટકારાયાં છે. બાળદીક્ષાર્થીને અમુક વર્ષ શાળામાં મૂકી પછી દીક્ષા આપવાનું કહેતા સુધારકોની દરેક દલીલોના જડબાતોડ જવાબો અપાયા છે અને પ્રશ્ન કરાયો છે કે, માત્ર બાળકો માટે જ શું કામ યુવાનો ને બુઢાઓ માટે પણ એવી શાળા કેમ નહિ ? આ પ્રવચનનો ખરો આસ્વાદ આ સમરીમાં નથી, પરંતુ એને વાંચવામાં જ આવે તેમ છે. • ભૂલને સુધારવા માટે અભ્યાસ કરનારની ભૂલ એ દોષપાત્ર નથી. • ખરાબ વસ્તુને છોડવા માટે એવી વિધિ ન હોય કે જીવનમાં એનો અનુભવ લઈને જ છોડાય. • ઈન્દ્રિયો તો આત્માના ગુણો પર અગ્નિ મૂકે છે. • સર્વવિરતિના ધ્યેયને ભૂલાય એ રીતે દેશવિરતિ તથા માર્ગનુસારિતાના ગુણો પેદા કરાવવાનો પ્રયત્ન ન કરાય. • જેમાં દીક્ષાનો મુખ્ય ધ્વનિ નથી તે શ્રી જિનેશ્વર દેવની દેશના નથી. • અમારી બુદ્ધિ જો શાસ્ત્રથી આગળ જવા માગે તો એના પર અંકુશ મૂકવા અમે તૈયાર છીએ. • સંસારીને સુખ પણ ચિંતામગ્ન છે, જ્યારે સંયમીને કદાચ દુઃખ હોય તો તે પણ ચિંતારહિત છે. • ધર્મનાં, દીક્ષાનાં પરિણામ આવે એને વિલંબ કરવાનું કહેનારા, એ આત્માના ભાવધનની લૂંટ ચલાવનારા ભયંકર લૂંટારા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy