SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ : જાણ્યા વિના બોલવાનો અધિકાર નહિ : J-127 વિ. સં. ૧૯૮૬ માગસર સુદ-૮ સોમવાર તા. ૯-૧૨-૧૯૨૯ ધૂનન માટે સંસારસ્વરૂપનું દિગ્દર્શન : શાસનનું સંચાલન ત્યાગીને સોંપ્યું : ભગવાન પણ પચ્ચક્ખાણ કરે છે : ઋષભદેવ ભગવાન એમના કલ્પ મુજબ વર્તે છે : ધર્મના રસિયાનો વિરોધ ક્યાં હોય ? ઈરાદાપૂર્વક ખોટું કરે તે ખોટા : ♦ પચ્ચક્ખાણ, એ ઇચ્છાનિરોધનું સાધન : કષાયો ક્યારે જાય ? ૦ ડહાપણ ડહોળવું રહેવા દો ! વસ્તુનું રૂપક ફરે ત્યારે અશુદ્ધિ ન મનાય : બોલવાનો અધિકાર કોને ? ૭ ♦ Jain Education International 130 વસ્તુ હોય તે જ હોય, નવી ક્યાંથી આવે ? દીક્ષા કોઈને ન ગમે તો એ દીક્ષાનો દોષ નથી : ૭ વિધિની ભાવનાએ થતી અવિધિ ઘાતક નથી : ♦ જૈનેતર પત્રકાર શું કહે છે ? ♦ સાધુ કે આગમ માટે ગમે તેમ ન બોલાય : વિષય : ત્યાગનું મહત્ત્વ, પચ્ચક્ખાણની આવશ્યકતા, વસ્તુને જાણ્યા વિનાનો વિોધ નકામો. સંસારી જીવ ધૂનન ન કરે ત્યાં સુધી તેના દુર્ગુણો જાય નહિ અને સદ્ગુણો ખીલે નહિ. માટે શાસનનું સંચાલન ત્યાગીના હાથમાં. ત્યાગની ખૂબ કિંમત છે. ભગવાન પણ તે માટે જ પચ્ચક્ખાણ કરે છે. આ વાત જણાવી શ્રી ઋષભદેવ પ્રભુએ રાજા તરીકે જે સાવઘ શિલ્પાદિ શીખવાડેલ એ એમના કલ્પ તરીકે જ. અન્યથી એનું આલંબન લઈ સાવઘ પ્રવૃત્તિની પ્રેરણા - ઉપદેશાદિ કરાય જ નહિ. પ્રભુએ પોતે દીક્ષા લેતાં જ એ સાવઘનાં પચ્ચક્ખાણ કર્યા છે અને ઉપદેશમાં એનો નિષેધ કર્યો છે. ત્યાર બાદ દીક્ષામાર્ગ જેવા તારક ધર્મ પ્રત્યે અને દીક્ષા લેનાર – આપનાર માટે ટકાની ય કિંમત ન હોય એવા માણસો એલફેલ અભિપ્રાયો ફાડે છે. તે કેવા ખતરનાક છે એ આ પ્રવચનમાં ખૂબ જ જોશીલી શૈલીમાં વર્ણવવામાં આવ્યું છે. સુવાક્યાતૃત ♦ નાનું પણ પાપ ઈરાદાપૂર્વક થાય ત્યાં પરિણામની ભયંકર તીવ્રતા થાય છે. ♦ સંસારનું દિગ્દર્શન કરાવવાનો હેતુ ધૂનનની ક્રિયાની નિકટમાં લાવવાનો છે. ♦ દુર્ગુણોથી ટેવાઈ ગયેલો આત્મા ધર્મસ્થાનમાં પણ એ દુર્ગુણોને તજી શકતો નથી. ♦ સર્વ સાવઘના ત્યાગીથી હવે પૂર્વની કોઈ પણ સાવધ પ્રવૃત્તિની અનુમોદના પણ ન થાય. શ્રી જિનમંદિર અને ઉપાશ્રયોનું વાતાવરણ કલુષિત કરનારા સંસારના રસિયાઓ છે. ઈરાદાપૂર્વક ખામી કરે તે ખોટા પણ ખામી થઈ જાય તેટલા માત્રથી ખોટા ન કહેવાય. સર્વજ્ઞના માર્ગે ચાલવું હોય તો આપતિ આથી મૂકો. વિધિની ભાવનાએ થતી અવિધિ ઘાતક નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy