SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો ૭ ગાળો પણ દઈએ, એમાં ગુસ્સો થવાનો કોઈને અધિકાર નથી.' સામે ગવર્નમેન્ટ પણ કહે છે કે, ‘વારુ, અમને રુચે તે અમે કરીએ.' ત્યારે તેની સામે આ લોકો કહે છે કે ‘એમ નહિ, તમે અમને અનુકૂળ રીતે વર્તો.' સરકાર કહે છે કે ‘તમે અમને અનુકૂળ રીતે વર્તો તો અમે તમને અનુકૂળ રીતે વર્તીએ.’ ૧૭૮ માટે સમજો કે આ તો સ્વાતંત્ર્ય શબ્દનો દુરુપયોગ છે. આજે તો સત્તા નથી, તાકાત નથી છતાં આટલો ઉધમાત છે તો સત્તા મળે તો શું થાય ? કૂતરું હજી તો કરડવાં આવ્યું નથી, માત્ર ભસે છે, છતાં વગર સત્તાએ સોટી ફટકારવાનું મન થાય છે તો સત્તા હોય તો શું ન કરે ? તમને જીવવાનો હક છે અને કૂતરાને મરવાનો હક છે એમ ? સ્વતંત્રતા શબ્દને તો ફક્ત પોતાની ચળવળનું સાધન બનાવ્યું છે. બુદ્ધિવાદના જમાનામાં તો શબ્દ કરતાં એના ભાવને જ પકડવો જોઈએ પણ તે દૃષ્ટિ જ નથી. અમારી લડત જ્ઞાનીઓના મત માટે છે : સભા : સાચું સ્વાતંત્ર્ય તો મોક્ષ જ છે ને ? - હા, પણ એ મગજમાં ઊતરવું જોઈએ ને ? પોતાનું શરીર પણ જેના તાબામાં નથી, ઇંદ્રિયો પોતાના તાબામાં નથી, વિચારો ઉપર પોતાનો કાબૂ નથી એને સ્વતંત્ર કહે કોણ ? આજના સ્વતંત્રવાદીને સાત વાગે ચા ન મળે તો માથું ભમવા માંડે, ઊંઘ ઊંડે જ નહિ, આને સ્વતંત્ર કોણ કહે ? ધર્મી તો જાગવું હોય ત્યારે જાગે અને ઊઠવું હોય ત્યારે ઊઠે. ‘મને તો અમુક ચીજ વગર ચાલે જ નહિ' એવું ધર્મને ન હોય. શરીર માટે એ આહાર લે પણ એટલી પણ પરાધીનતા એને ખટકે. જમાનાવાદીઓને, સ્વતંત્રતાવાદીઓને પરાધીનતાનો પાર નથી પણ એ એમને ખટકતી નથી. જ્ઞાની એને પાપ કહે તે એમને ખટકે છે. ફલાણા વિના ન ચાલે એવી પામરતા ખટકવી જોઈએ. શરીરની ખાતર એવી ચીજોને આધીન થવું એને જ્ઞાની પાપ કહે છે તે એમને ખટકે છે. આ બધી વાત સમજાય તો એવા સ્વતંત્રતાવાદીનું બજાર વચ્ચે કાંડું પકડીને એને ઊભો રખાય. એકેય સ્વતંત્રતાવાદી એવો નથી કે જે કલાકભર શાંતિપૂર્વક સભ્યતાથી વાત કરે. જરાક એને અણગમતી વાત આવે ત્યાં હાથ હાથ ઊછળવા માંડે. જ્યારે જ્ઞાનીના વચન પર હલ્લો લાવે અને અમે જરા કાંઈ કહીએ તો કહેશે સાધુથી આમ ઊંચાનીચા થવાય ? કહે છે કે સાધુએ તો પરમ Jain Education International 1876 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy