SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ 1શ – ૭ : પાપને પાપ માને તે જ જૈનશાસનમાં – ૧૨૩ –– ૧૧૩ કેળવવી પડે છે ? એ એવું એવું બોલે કે ન આપવાની ભાવનાવાળાનું પણ હૈયું પીગળે. ચાર ગાળ દે તો પણ ભિખારી “અન્નદાતા' કહે, પણ આંખમાં જરાય લાલાશ ન આવવા દે. ભિખારીને જો આટલી હદે ગુણ કેળવવા પડે તો તમારે અમારે મોક્ષ માટે ગુણ નહિ કેળવવા પડે ? અનંત સુખ મેળવવા ઇચ્છનારે ક્ષમા નહિ કેળવવી પડે ? પણ મુદ્દો એ છે કે એ ભિખારીને જેટલી રોટલાના ટૂકડાની કિંમત છે તેટલી આપણને મોક્ષની કિંમત નથી. રોટલા માટે કેળવેલી ક્ષમા ખોટી છે, જ્યારે મોક્ષ માટે કેળવેલી ક્ષમા સાચી છે. મનુષ્ય જીવન એ ધર્મની મોસમ : મુક્તિ જેનું ધ્યેય, તેને માટે સંસાર કેવો બને ? એને મન સંસાર ત્યાજ્ય જ હોય. એના બોલવા ચાલવામાં, એની રીતભાતમાં, એના વર્તનમાં સામાને દેખાય કે આને સંસાર ગમતો નથી. સંસારથી આ ઉદ્વિગ્ન છે. મોસમમાં વેપારીને ખાવું-પીવું કે ઊંઘવું એ કશું ગમતું નથી. ઘરના કહે કે, “બે ઘડી જંપો તો ખરા !” તો તરત ના પાડશે. કહી દેશે કે અત્યારે જંપીને બેસવાનો સમય નથી. મનુષ્ય જીવન એ ધર્મની મોસમ છે. ત્યાગને લઈને મનુષ્ય જીવન ઊંચું છે, ભોગને લઈને નહિ. માટે એ ભોગ જીવન નહિ પણ ત્યાગ જીવન છે. ભોગને લઈને ઊંચું કહેવું હોત તો ભોગ તો દેવ જીવનમાં ઘણાં છે. ભોગની મહત્તા હોત તો દેવજીવન જ ઊંચું ગણાત. ત્યાં જેમ ભોગ સામગ્રી પ્રચુર છે, તેમ અહીં ત્યાગ સામગ્રી ઘણી છે. દેવલોકમાં ત્યાગ સામગ્રી નથી માટે એ જીવન સારું છતાં નકામું. મનુષ્ય જીવન મળ્યા પછી માત્ર ભોગપરાયણ બનાય તો એ જીવન પામ્યા એ નકામું થયું ને ? આ જીવનના ધ્યેયને એટલી મક્કમતાથી વળગવું જોઈએ કે કોઈ એનાથી ચસાવી શકે નહિ. જિનદાસ શેઠ એટલા મક્કમ હૃદયના હતા કે, બળદોને સાધર્મિક બનાવ્યા. છેલ્લી ઘડીએ ચારે આહારનો ત્યાગ કરાવ્યો, ઉત્તમ પ્રકારે નિર્ધામણા કરાવી અને એ બળદોને દેવલોકમાં મોકલ્યા. એમનામાં એ ભાવના જીવતી જાગતી હતી કે, પોતાના આશ્રયે આવી ગયેલાં એ વાછરડાં પણ ધર્મહીન ન રહેવા જોઈએ અને દુર્ગતિમાં ન જવા જોઈએ. આજનાઓના કુતર્ક : સ્થૂલિભદ્રજી એ ભગવાનના શાસનમાં છેલ્લા ચૌદપૂર્વી થયા, અર્થાત્ છેલ્લા શ્રુતકેવલી થયા. આજનાઓ કહે છે કે : “એ વેશ્યાગામી હતા છતાં શ્રુતકેવલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004831
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 07
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy