________________
10T3
--- ૨૦: એ, સંઘ નહિ; પણ હાડકાંનો માળો - 70
–
૩૩૩
આપે છે કે પ્રમાદી ન બનવું જોઈએ. ભગવાન શ્રી મહાવીરદેવનો શ્રી ગૌતમસ્વામીજી પ્રત્યે તેમજ બીજા બધાય પ્રત્યે પ્રમાદી ન બનવાનો જ ઉપદેશ હતો, એ આપણે
ક્યાં નથી જાણતા ? નિવૃત્તિ એટલે?
સભા : પ્રમાદનો ત્યાગ એટલે પ્રવૃત્તિ કે નિવૃત્તિ ? નિવૃત્તિનો અર્થ સમજો. આરંભ-સમારંભથી દૂર ખસવું અને આત્મહિતકર પ્રવૃત્તિ કરવી, તેનું જ નામ સાચી નિવૃત્ત છે. નિવૃત્તિ એટલે પ્રમાદથી પાછા ફરવું. એકલી નિવૃત્તિથી આત્મા રહે કયાં ? શરીર ન છૂટે ત્યાં સુધી મન, વચન, કાયાની પ્રવૃત્તિ તો રહેલી જ છે. એ અટકે નહિ - એ પ્રવૃત્તિને અયોગ્યમાંથી ખેંચી યોગ્યમાં રોકવી જોઈએ, જો એમ ન કરો, એટલે કે અયોગ્યમાંથી ખેંચી યોગ્યમાં ન રોકો તો તે અયોગ્યમાં જાય : વચન-કાયાના યોગો તો ચાલુ છે જ. અયોગ્ય સ્થાનથી ખેંચી યોગ્ય સ્થાને ન રોકો, તો તે અયોગ્ય સ્થાને તો જવાના જ.
સભા : અધ્યાત્મમાં પણ ક્રિયા ખરી ?
ક્રિયા બેઠેલી જ છે. વસ્તુના સ્વરૂપને સમજો તો એ બધું જ સમજાય. ધ્યાનનો અધિકાર કોને ? જો બધાયે એમ ધ્યાનમાં મગ્ન થઈ શકતા હોત તો દુનિયામાં કોઈ જ ન રહેત. દુનિયાદારીની ક્રિયા નાશ પામે અને સુક્રિયાઓમાં આત્મા તલ્લીન થાય ત્યારે જ ક્વચિત્ ક્વચિત્ શુભ ધ્યાન આવે. ચૈત્યવંદનાદિ સુંદર ક્રિયાઓમાં જેનું મન નથી ચોંટતું, તેનું મન કોરા (લુખ્ખા) આત્મામાં શી રીતે ચોંટી જાય ?
સભા : એકાંતમાં જાય તો ?
એકાંત એ ધ્યાનનું જ કારણ છે, એમ ના માનતા. એકાંત તો ભયનું પણ કારણ છે. એકાંતથી તો આદમી ગાંડ પણ થઈ જાય. એકાંતથી તો સન્નિપાત પણ થાય. મોટા મકાનમાં એકલા બેસો તો ભય જ લાગે ને ?
સભા : ક્લોરોફોર્મ સુંઘાડે ત્યારે યોગની ક્રિયાઓ ચાલુ હોય છે?
ક્રિયા ચાલુ છે : ભલે ખબર ન પડે. કેટલીક વાર આપણે પોતે આપણી ક્રિયાને પણ સમજી શકતા નથી. રભસવૃત્તિથી કોઈવાર એવાં વચનો નીકળી જાય કે એના અર્થ પણ કાઢી શકાતા નથી. અમુક પીડા થાય છે. ત્યારે શું થાય છે, એ કહી શકાતું નથી. મન-વચન-કાયાને અયોગ્ય ક્રિયાથી રોકી યોગ્યમાં જોડીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org