SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ : સંઘ કેવા ઠરાવ કરી શકે ? - 69 ૩૨૫ કે એની સ્વ ને પર ઉપર કેવી અસર થાય છે ! બીજાને પરમાર્થી બનાવતા પહેલાં તમે બનો, કે જેથી સામા ઉપર છાયા પણ પડે. જ્યાંથી આજનો કહેવાતો સ્વતંત્રવાદ લાવ્યા, એ દેશવાળા પણ કાયદાની સામે કદી થયા ? હિંદી આગળ પણ કાયદો આવે ત્યાં યુરોપિયન તરત ટોપી ઉતારે. હવે વિચારો કે આજના જૈન સુધારકો શાસ્ત્રીય કાયદાને કેટલું માન આપે છે ? શાસ્ત્રીય કાયદા પર જે પગ મૂકે છે, તે ઉન્નતિ કેવીક કરશે ? શ્રી જૈન સંઘના કાયદા શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનો અમલ કરાવવાના હોય કે ઠોકરે મારવાના હોય ? આજ્ઞાને ઠોકરે મારવાના કાયદા કરીને જૈન તરીકે જીવવું એ અશક્ય છે ! શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ખાતર ઘરબાર તારાજ કરાય તે હા, પણ આજ્ઞાને ઠોકરે મારવાના તો કાયદા ન જ હોય ! આજ્ઞાને ઠોકરે મારનારા અને એવા કાયદા કરનારા તો સ્વપરના હિતનો નાશ કરનારા છે : એવાઓને શરણે થવામાં પાપ છે. અટવીમાં ભીખ માગી ખાવી સારી, પણ આજ્ઞાભંજક એવા ભયંકર કતલખાનાનો આશ્રય લેવો એ સારું નથી. આજ તો હજી આનંદપૂર્વક બેસવાનાં સ્થાન આપણા માટે છે, પણ જો એવો વખત આવે કે ઊભા રહેવાની પણ જગ્યા ન હોય અને એ વખતે પણ આપણે જો ધર્મમાં ટકીએ, તો જ આપણે સપૂત, નહિ તો કપૂત. ‘મારું ઘર, મારું ઘર' કર્યા કરશો તો ભીખ માગશો. 1065 રાણો પ્રતાપ વન વન ભટક્યો : એની રાણી તથા બાળબચ્ચાંને રોતાં જોયાં : રોવા દીધાં : પોતે રોયો : પણ પોતે ટેક ન મૂકી. ભલે એ ગમે તે ધર્મી હોય, પણ એ ધર્મટેકને લઈને આજે એનાં ગુણગાન ગવાય છે. ઘણા ક્ષત્રિયો એને કહેતા પણ કે ‘આવા મોટા બાદશાહની સાથે હઠ હોય ? એની આધીનતા સ્વીકારવી, એમાં જ લાભ છે.’ એના ઉત્તરમાં કહેતા કે ‘એ તમને કુલાંગારોને મુબારક. મને તો મારી ટેકની કિંમત છે.' પ્રતાપ રાણાનાં આજે ગુણગાન એથી ગવાય છે. તમારે કુળદીપક બનવું છે કે કુળના દેવતા ? અગ્નિ તો બેયમાં, દીપક શું કરે અને દેવતા શું કરે ? પણ સભા : દેવતા તો બાળે. આ અહીં બેઠા છે એટલા દીપક બને તો હિંદુસ્તાન આજ ઝળકે. વાવાઝોડામાં સ્થિર રહે એવા, બુઝાય નહિ એવા દીપક બનવું જોઈએ. વાયરા એવા પ્રલયકાળના વાય છે કે શક્તિ છતાંય મૂંઝાયા તો નિર્વાણ તો ધબોધબ ! તો બીજા ડૂબશે એનું પાપ તમને લાગશે, કારણ કે જે છતી શક્તિનો ઉપયોગ ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004828
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy