________________
આચારાંગ સૂત્ર-ધૃતાધ્યયનનાં વ્યાખ્યાનો ભાગ-૪ પ્રાસ્તાવિકમ્
શ્રી આચારાંગ સૂત્રનાં વ્યાખ્યાનો મુખ્યત્વે જે અધ્યયનને ઉદ્દેશીને થયા છે, તે આ જ ધૂત અધ્યયન છે. શ્રી આચારાંગજીના પહેલા શ્રુતસ્કંધનું એ છઠ્ઠું અધ્યયન છે, જેના પાંચ ઉદ્દેશા છે.
આ ચોથા ભાગમાં સળંગ-૫૧ થી ૭૦ એમ કુલ-૨૦ વ્યાખ્યાનોનો સંગ્રહ છે, જેમાં પ્રથમ વ્યાખ્યાનમાં પાંચમા લોકસાર અધ્યયન સાથે આ અધ્યયનનો સંબંધ બતાવી એના અર્થાધિકાર અને ઉદ્દેશાધિકારની વાતો કરી છે. સાથે ધૂનનવાદ કે જેનું બીજું નામ ધૂતવાદ છે, તેની ભૂમિકા કરી તે ધૂનનના પાંચ પ્રકાર બતાવ્યા છે.
ત્યાર બાદના પ્રવચનમાં દ્રવ્યધૂનનની વાત કરી ભાવધૂનન કરવા માટે આત્માને લૂખો કરવાની વાત પણ કરી છે. સાથે શ્રાવક અને સાધુના અરસપરસ સંબંધ-ભક્તિ આદિનો વિવેક પણ બતાવ્યો છે.
ત્રીજા, ચોથા અને પાંચમા પ્રવચનમાં ટીકાંશની વિચારણા આગળ વધી નથી. પરંતુ વર્તમાનમાં અત્યાવશ્યક એવા કેટલાક વિષયોનું સુંદર નિરૂપણ થવા પામ્યું છે. એમાં પ્રસંગવશ આઠે પ્રકારના કર્મનું ધૂનન, મમત્વ ત્યાગ, સત્યની વ્યાખ્યા, વ્યાસનોની વિકૃતિ, કુળાચાર-પાપાચાર, બાહ્યત્યાગની અનિવાર્યતા જેવા વિષયોનું વેધક વિવેચન કરાયું છે.
છઠ્ઠા પ્રવચનથી ‘ઓબુઝ્ઝમાણે' આ છઠ્ઠા અધ્યયનના પહેલા ઉદ્દેશાના પ્રથમ સૂત્રના આધારે તેમજ વૃત્તિના અંશોના આધારે વિચારણા આગળ વધી છે. જેમાં લક્ષ્મી એ ધર્મ નહિ, પરંતુ દાન એ ધર્મ છે, ધર્મનો પ્રભાવ, કયો સંઘ હાડકાનો માળો ?, જૈનો કેમ ન ઝળકે ? ધર્મદેશનાનું મૂળ, સજ્જન-દુર્જનની રીતિનીતિ જેવા વિષયો ચર્ચાયા છે.
ત્યાર બાદ અગ્યારમા પ્રવચનથી ટીકાના આધારે વિચારણા ઝડપથી આગળ વધી છે. બારમાથી સોળમામાં તીર્થંકરે ધૃત શા માટે કહ્યું ? એની વેચારણા કરી સત્તરથી વીસમા પ્રવચનમાં સૂત્રાધારે વૃક્ષ, કાચબો આદિ દૃષ્ટાંતો દ્વારા નિરૂપિત વસ્તુને દૃઢ કરવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
V
www.jainelibrary.org