SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ : એ સડાને દૂર કરો ! 40 અનાદિની વાસનાથી ટેવાયેલા આત્મામાં, દોષ ચારે પ્રાદુર્ભાવ પામશે તે ન કહેવાય. કાળજી ન રાખે તો વિકાર થવાનો સંભવ છે. આહારનો ઉપયોગ કરવાથી દરેકને અજીર્ણ થાય જ એમ નહિ, તેમ જ દરેકને જ્ઞાનપ્રાપ્તિ થયા બાદ ‘અભિમાન’ થાય જ એમ પણ નહિ ! અને દરેકને જ એમ થતું હોય તો તો એને અજીર્ણ ન કહેવાત, પણ વિનાશ કહેવાત. કારણ કે આહારનો અપચો હોય, ઝેરનો નહિ ! વિષ તો મારે. એટલે જેમ કોઈને અજીર્ણ’ થવાનો સંભવ, તેમ જ કોઈને ‘અભિમાન' પણ થવાનો સંભવ ! માટે તો વિધિ બાંધી કે જ્ઞાન પણ યોગ્યતા જોઈને જ દેવાય. 563 અમુક શાસ્ત્ર, સંયમ લીધાને અમુક વર્ષો થયા બાદ તપોયોગાદિ કરવા વડે અપાય એ વિધિ છે. યોગ્યતા વિના દેવાય તો પરિણામ વિપરીત આવે, તે તદ્દન સ્વાભાવિક છે. ગૃહસ્થને સૂત્રાદિના વાંચનની મનાઈ, એનું કારણ પણ એ જ કે એ ઘરબારી, ગમે તેવો તોયે તેની નજર તો ઘર તરફ જ. શ્રી વજસ્વામીજી બાળવયમાં શ્રવણમાત્રથી અગિયાર અંગ ભણ્યા, બધાને વાચના આપી અને એમની પાસે વાચના લેનારા શિષ્યોએ ભગવાન શ્રી વજસ્વામીજીને ‘વાચનાચાર્ય’ બનાવવા માટે ગુરુદેવને વિનંતી કરી : તેના ઉત્તરમાં ગુરુએ કહ્યું કે - 'अव्रजाम वयं ग्राम- माचार्योऽयं च वोऽर्पितः । अत एव यथावित्य, यूयमस्येदृशान् गुणान् ।।१।। अन्यथा वाचनाचार्य पदवीं नायमर्हति । પુર્વવત્ત યતોડનેન, હર્ષાશ્રુત્યાને શ્રુતમ્ ।।” ‘એટલા જ માટે અમે ગામ ગયા હતા અને આચાર્ય તરીકે તમને આ વજ્રને અર્પણ કર્યો હતો, કે જેથી તમે આના આવા પ્રકારના ગુણો જાણી શકો. અન્યથા આ ‘વજ્ર' ‘વાચનાચાર્ય’ની પદવી માટે યોગ્ય નથી, કારણ કે આણે ગુરુએ નહિ આપેલું શ્રુત કર્ણની શ્રુતિથી ગ્રહણ કરેલું છે.’ ૩૫ Jain Education International આથી સ્પષ્ટ છે કે પૂર્વના ક્ષયોપશમ યોગે જ્ઞાન તો થઈ જાય, પણ ગુરુગમની ખામી તો ૨હે જ. ગમે તેવો બુદ્ધિમાન પણ ગુરુની નિશ્રાએ જ્ઞાન મેળવે નહિ, તો આમ્નાય વિના ઠોકર ખાય. શું નાગાર્જુનમાં બુદ્ધિ કમ હતી ? નહિ જ, છતાં પણ ભગવાન શ્રી પાદલિપ્તાચાર્ય પાસેથી પાદલેપનું વિધાન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy