SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ 535 - ૧ : સદાચારનું મહત્વ સમજા ! - 38 કે સર્વત્ર હોવી જોઈએ. જ્ઞાનપ્રાપ્તિની પૂર્વે પણ, જ્ઞાન મેળવતાં પણ, અને પછી પણ ક્રિયા હોવી જોઈએ, કારણ કે તેના વિના કાર્યની સિદ્ધિ થતી જ નથી. શ્રી કુમારપાળ મહારાજાનું દઢનિયમીપણું! મુદ્દો એ છે કે ક્રિયા નિશ્રાવાળી હોવી જોઈએ. જ્ઞાનીની પાછળ ચાલવું જોઈએ, પણ આ તો ન જ્ઞાની, ન જ્ઞાનીની નિશ્રા, ત્યાં હાલત કઈ થાય ? આગળના જે જે મહાપુરુષ શાસનની પ્રભાવના કરી શકતા હતા, એનું કારણ એ હતું કે પાછળના બધા નિશ્રામાં હતા. એટલી દૃષ્ટિએ યોગ્યતા જોવાવી જોઈએ, તેટલી દૃષ્ટિએ નક્કી કરે કે “આ યોગ્ય છે, પ્રભુમાર્ગથી જુદું કહેનારા નથી.” આટલું નિશ્ચિત થયા પછી તો એક જ વાત કે “આજ્ઞા.” કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા મળ્યા પછી, પૂજ્યભાવ થયા પછી, મહારાજા શ્રી કુમારપાળને એક જ વાત કે “આજ્ઞા.” ગુરુદેવની અનુમતિ ન હોય, ત્યાં જે તે ન થાય. ગુરુદેવની નિશ્રામાં રહેવાથી તો મહારાજા શ્રી કુમારપાળે ધારેલી આરાધના કરી. અલ્પ સમયમાં તો એવી અનુપમ આરાધના કરી કે એના યોગે રાજા છતાં ઊંચામાં ઊંચી હદનું આત્મકલ્યાણ સાધી ગયા. એના યોગે એમને જાતજાતનાં વિશેષણો આપવાનું ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજીને પણ મન થઈ જતું. ‘પરનારી – સહોદર, પરમાઈતું અને વિચાર ચતર્મુખ” આવાં આવાં અનેક વિશેષણો આપ્યાં છે, કારણ કે દિવસે દિવસે નિશ્રા એવી વધતી ગઈ અને રાજકારભાર પણ એવો અનુપમ ચાલ્યો કે ન પૂછો વાત. રાજા છતાં ગમે તેવા પ્રસંગે પણ અંગીકૃત કરેલા નિયમનું પાલન અણીશુદ્ધ કરી શકતા હતા. પોતાની “ભોપલદેવી” નામની પટ્ટરાણીના અવસાન બાદ, સાથીઓ વગેરેએ કહ્યું કે દરેક મંગલમય ક્રિયામાં રાણી જોઈએ. સામંતોએ, મંત્રીઓએ પુનઃ પરણવાનો ઘણો આગ્રહ કર્યો છે. દલીલો પણ અનેક કરી. તે છતાં પણ શ્રી કુમારપાળ મહારાજા મક્કમ રહ્યા છે, પરણ્યા નથી અને બધાને સંભળાવી દીધું કે રાણી વિના ન જ ચાલતું હોય, તો “ભોપલદેવીની સુવર્ણની મૂર્તિ બનાવો અને તે તે સમયે મારી પાસે મુકાવો. શ્રી કુમારપાળ મહારાજાનું જીવન તો જરા તપાસો ! કયું ભોગજીવન ભોગવ્યું ? એમની પચીસ વરસની ઉમ્મરથી, રાજ્યની પ્રાપ્તિ થઈ ત્યાં સુધી તો એમને નાસભાગ કરવી પડી. એ નાસભાગમાં સુખનો અનુભવ ક્યાંથી ? ગાદી મળ્યા બાદ થોડા વખત પછી રાણી મરી જાય છે, પણ પુનઃ પાણિગ્રહણ નથી કરતા. એ અઢાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy