SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ઃ સદાચારનું મહત્ત્વ સમજો ! 38 » જ્ઞાન ભણ્યો પણ સરવૈયે શું ? શ્રી વસ્તુપાળ વગેરે પ્રભાવક શાથી બન્યા? છે થોડી પણ ક્રિયા ધ્યેયશુદ્ધિપૂર્વક કરો ! - સમ્યફ અને મિથ્યા પ્રવૃત્તિમાં નિદાન સમજો : • ચારિત્રહીન જ્ઞાની સદ્ગતિનો ભાગીદાર નથી! ૦ યોગ્યતા મુજબ જ વસ્તુ પરિણમે : • શ્રી કુમારપાળ મહારાજાનું દઢ નિયમીપણું ! • ભલાની ભાવનાએ કટુ પણ કહેવાય : જિતેંદ્રિયતાનો પ્રગટ પ્રભાવ : વિષય : ધોધશક્તિ, જ્ઞાન અને ક્રિયા બંનેની આવશ્યકતા, નિયમ જાળવવાની અનિવાર્યતા, જિતેન્દ્રિયતા સ્વપરરક્ષક. અનુયોગની આવશ્યકતા અને મુખ્ય અનુયોગ તો ચરણકરણ જ એ વાત ફરીથી પીઠિકારૂપે સમજાવી આ પ્રવચનમાં પૂજ્યપાદે જ્ઞાન ભણ્યા બાદ પણ બેયની શુદ્ધિ ન થાય અને ધ્યેયને આંબવા માટે જરૂરી પુરુષાર્થ ન થાય તેનું જ્ઞાન ભારભૂત જ છે એ વાત સરસ રીતે સમજાવી છે. કુમારપાળ મહારાજે નિયમ જાળવવા માટે સામાયિકમાં મંકોડાની કરેલી રક્ષાનો તેમજ ફરી લગ્ન ન કરવાનો પ્રસંગ, વસ્તુપાળ તેજપાળનો યુદ્ધમાં પણ પ્રથમ પ્રહાર ન કરવાનો પ્રસંગ વર્ણવ્યો છે. એક જ પ્રવૃત્તિ સારાને સારી રીતે અને નબળાને નબળી રીતે પરિણમે એમાં દોષ વસ્તુનો નથી પણ દૃષ્ટિન છે, એ વાતમાં પ્રભુ મહાવીર દેવને સંગમે કરેલો ઉપસર્ગ અને કાલસૌકરિક કસાઈની અંતિમ ક્ષણો પણ વર્ણવી. છેવટે સ્વ-પરની રક્ષા માટે મોદીનાં પત્નીએ રાજાને પ્રતિબોધ કઈ રીતે પમાડ્યો તે વાત સાથે પ્રવચન પૂર્ણ કરવામાં આવ્યું છે. મુવાક્યાતૃd • જે જ્ઞાનના યોગે આત્મા ચરણકરણાનુયોગથી પાછો હઠે તે જ્ઞાન પણ સમ્યફ નથી અને એવું જ્ઞાન આપતું શાસ્ત્ર પણ સમ્યફ નથી. • ઉત્તમ સાધના કરવી હોય, ત્યાં વાત પણ સારવાળી જ હોવી જોઈએ. સાર વિનાની વાત કરનારા અને સાંભળનારા અજ્ઞાની છે. • ધ્યેયપૂર્વક થતી ઘોડી ક્રિયાથી પણ અનુપમ લાભ મળે અને પરિણામે સાધ્યની સિદ્ધિ થાય. • ધર્મ વિનાનું શરીર, ધર્મક્રિયામાં રત નહિ એવું શરીર આત્માને ડુબાડનાર છે. • જ્ઞાન કંઈ પકડી રાખે ? બચાવે તો ક્રિયા જ. જ્ઞાન તો દિશા બતાવે, પણ ચાલવાનો અમલ તો ક્રિયા કરે. • કેવળ જ્ઞાનવાદી કે કોરો ક્રિયાવાદી નકામો, જે ઉભયને માને તેનું કામ થાય. • એક એક ધર્મક્રિયા કરતી વખતે, દુનિયાના પદાર્થો પરથી પ્રેમ છૂટવો જોઈએ અને અહીં સદ્ભાવ થવો જોઈએ, તેનું જ નામ સમ્યકત્વ. • ધર્મક્રિયા કરનારનું અંતર દુનિયાથી જુદું જ હોય. • પ્રાણીમાત્રના શિર ઉપર અંકુશ હોવો જ જોઈએ. અંકુશ વિનાના માનવી એ વસ્તુતઃ માનવી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy