SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ 731 – ૧૩ : મૃતનું અવલંબન એ જ એક આધાર : - 50 - ૨૦૩ બીજી તરફ પેલી વલ્કલચીરીના પિતાની ધાકથી ભાગી આવેલી વેશ્યાઓએ ખબર આપતાં રાજા પ્રસન્નચંદ્ર દુઃખી થયો કે “અરે, મેં કમભાગીએ પિતા-પુત્રનો પણ વિયોગ કરાવ્યો.' આ દુઃખમાં એ સંતાપ અનુભવી રહ્યો છે, ત્યારે પેલી વેશ્યાને ત્યાં લગ્નની શરણાઈ વાગતી સાંભળી સરદારો પાસે એને પકડી મગાવે છે, કારણ કે રાજા દુઃખમાં હોય ત્યારે પ્રજાને ત્યાં ઉત્સવ કેમ જ હોય ? ભયથી કંપતી વેશ્યા બધી જ વાત કહી દે છે, એટલે રાજાને શંકા પડે છે કે “કદાચ એ જ વલ્કલગીરી તો ન હોય !” પછી વલ્કલચીરીને લેવા ગયેલી વેશ્યાઓને તથા સરદારોને ત્યાં મોકલી ખાતરી કરાવે છે અને ખાતરી થતાં એ વરવધૂને હાથી ઉપર બેસાડી હર્ષઘેલો પ્રસન્નચંદ્ર રાજમહેલમાં લાવે છે. પછી એને રાજા ઉછેરે છે, લાલનપાલન કરે છે, રાજ્ય આપે છે, અને ધીમે ધીમે એ બધા સહવાસોમાં વલ્કલચીરીનો અનાદિનો ભોગ ભોગવવાનો સ્વભાવ તાજો થાય છે : એવો વલ્કલચીરી પણ આવા સંયોગોમાં એકદમ ભોગસુખમાં લીન થઈ જાય છે. આમ કરતાં બાર વર્ષ વીતી ગયા બાદ એક વખત પિતા યાદ આવે છે એટલે ખૂબ પસ્તાય છે. બેય ભાઈ પિતાને મળવા જાય છે. ત્યાં શ્રી પ્રસન્નચંદ્ર બહાર બેઠા છે અને વલ્કલચરી અંદર જઈ ભાજન વગેરે ઉપર પડેલા કચરાની પ્રમાર્જના કરે છે : એ ક્રિયાના યોગે પૂર્વભવની પ્રતિલેખના યાદ આવે છે, જાતિસ્મરણ થાય છે અને પૂર્વભવે શ્રી જિનેશ્વરદેવના શાસનની કરેલી આરાધના તાજી થાય છે. પછી ભાવનાએ ચડતાં ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈ ત્યાં ને ત્યાં કેવળજ્ઞાન પામે છે. આવાં નિમિત્તોથી અન્યલિંગ પણ કેવળજ્ઞાન થાય છે. અમુક ક્રિયાના યોગે કર્મનાં દળિયાં ખસે, તે જાતની શુભ ભાવના આવે અને પરિણામે કેવળજ્ઞાનને યોગ્ય દશા આવે, તો ગમે તે સ્થાનમાં પણ કેવળજ્ઞાન થાય અને અહીં સંયમી છતાં પણ જો ઊંધી ભાવના આવે તો કર્મ બંધાય અને દુર્ગતિ પણ થાય. છતાં બરાબર યાદ રાખો કે આ વેશમાં કેવળજ્ઞાનના જે પ્રસંગો છે તે ત્યાં નથી : આ સાધન છે, પણ તે સાધન નથી. અન્યલિંગ કે ગૃહીલિગે એવી ભાવના - એવા વિચારો આવે, કે જે અંતિમ ધ્યેયને અનુકૂળ હોય, આત્માનાં બંધનો બંધનરૂપ ભાસે, એ ભાવના યોગે – અકામ નિર્જરા કે સકામ નિર્જરાના યોગે – બંધન બંધનરૂપ ભાસે, તો શ્રી વીતરાગે કહેલા ધર્મ પ્રમાણે પરિણામ આવ્યા વિના રહે જ નહિ. પણ એ જાણો છો ને કે કેવળજ્ઞાન થયા પછી આયુષ્ય બાકી હોય તો એ સાધુલિંગમાં આવે, કેમ કે મોક્ષનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy