SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ 729 - ૧૩ : શ્રુતનું અવલંબન એ જ એક આધાર : - 50 - ૨૦૧ શ્રી અરિહંત થઈ ગયા, ગુરુઓ થઈ ગયા, - એવું માત્ર માનવું એ જ સમ્યક્ત્વ નથી, પણ એ તારકોની આજ્ઞાના અમલ વિના ચોથે આરે પણ મુક્તિ ન થાય એવો જે દઢ નિશ્ચય તે જ સમ્યકત્વ. આજના ઉચ્છંખલો તો - “અમે દેવગુરુને માનીએ પણ એ કહે તે ન માનીએ” – એ પણ કહે છે : આ કેમ જ ચાલે ? અર્થાતુ - ન જ ચાલે. અન્યલિગે સિદ્ધ કેમ થવાય છે? સભા : અન્યલિંગે સિદ્ધ થયા ત્યાં જૈનધર્મ ખરો કે ? આત્માની શુદ્ધિ થાય તેને કેવળજ્ઞાન થાય. રાગ-દ્વેષને જીતે તે જિન કહેવાયઃ જિનોના પણ આગેવાન અને ચોત્રીશ અતિશયોથી સંપન્ન તે શ્રી જિનેશ્વરદેવ કહેવાય. અને એ તારકે કહેલો જે ધર્મ તે જૈનધર્મ કહેવાય. એ તત્ત્વો જચે અને યોગ્ય વર્તાવ થઈ જાય તથા એ શુદ્ધ વર્તાવના યોગે તેવા પ્રકારની શુદ્ધિ પણ થઈ જાય ! અને એ તત્ત્વો જચવાં, એને યોગ્ય વર્તન થવું, - એ બધું જૈનધર્મની આરાધના જ છે એમ કહી શકાય અને એ રીતે અન્યલિંગ સિદ્ધ થયા ત્યાં જૈનધર્મ ખરો એમ કહેવું સાચું જ છે. આપણે કેવળ નામના જ પૂજારી નથી, પણ ખરી રીતે ગુણના પૂજારી છીએ. નામ ગમે તે હો, પણ જે શ્રી અરિહંત હોય તે પૂજ્ય શ્રી ઋષભદેવસ્વામીથી લઈને શ્રી મહાવીરસ્વામીજીને માનીએ છીએ, એનું કારણ એ કે એ બધા શ્રી અરિહંત બન્યા હતા માટે ! અરિહંત જે હોય તે બધા જ માન્ય. શ્રી વીતરાગે કહેલી વસ્તુસ્થિતિનું યેન કેન પ્રકારે ભાન થાય અને એ તારકની આજ્ઞાનો સંપૂર્ણ અમલ થાય તો જ કેવળજ્ઞાન થાય. શ્રી વલ્કલચીરીનું દૃષ્ટાંત જુઓ. એ અન્યલિંગ કેવળજ્ઞાની થયા છે. શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિના એ નાના ભાઈ હતા. આ શ્રી પ્રસન્નચંદ્રજી તે જ, કે જે પાછળથી સંયમી બને છે અને રાજર્ષિ થાય છે, કાયોત્સર્ગમાં રહેલા એવા એમણે શ્રી શ્રેણિક મહારાજાના બે અગ્ર સૈનિકોનાં વચનોના યોગે ક્ષણમાં સાતમી નારકીએ જવા જોગાં પરિણામ સેવ્યાં અને તે પછી મુનિપણાના સ્મરણથી એવાં પરિણામ પણ પામ્યા, કે જેના યોગે કેવળજ્ઞાન ઉપામ્યું. એમનાં પિતા તથા માતા તાપસ થયાં છે. તાપસ થયાં ત્યારે એમની માતાને છૂપો ગર્ભ છે. વનમાં પ્રસવ થાય છે. એ આ શ્રી વલ્કલચીરી. માતા મરી જાય છે અને પિતા ઉછેરે છે. અટવીમાં ઊછરે છે. પશુ સાથે હરે ફરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy