SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૭ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૩ વિષયની સામગ્રીમાં ઘરબાર, કુટુંબ-પરિવાર, ધનધાન્ય, - બધું આવી ગયું સમજવું. એની મૂર્છા ૫૨ જો કાપ મુકાય તો જ તેની અભિલાષા મટે. આથી આ ઘોર દુ:ખમય સંસારથી છૂટવાની ભાવનાવાળાએ સૌથી પહેલી તરાપ વિષયની સામગ્રી ઉપર મારવી જોઈએ. જ્યાં સુધી ત્યાં તરાપ ન મરાય, ત્યાં સુધી આશ્રવથી દૂર ન રહેવાય અને સંવરમાં ન ટકાય, માટે જે રીતે થવું જોઈએ તે રીતના સાચા અહિંસક બનવા માટે જીવોના ઘાતથી બચવા માટે લોકવિજય કરવો જોઈએ. લોકની વાતમાં ‘હાજી હા’ ભણવાથી ‘શસ્ત્રપરિજ્ઞા’ અધ્યયનમાં કહેલી આજ્ઞાનો અમલ ન જ થાય. પણ એ નથી ભૂલવા જેવું કે ‘લોકવિજય' કરવા તૈયાર થનારની સામે અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગોની પરંપરા તૈયાર જ હોય છે. જે એને જીતે - એ ઉપસર્ગોની હયાતીના વખતે મક્કમ રહે, તે જ ‘લોકવિજય’ સાધી શકે, માટે ત્રીજું અધ્યયન ‘શીતોષ્ણિકા’ નામનું કહ્યું. શીત એટલે અનુકૂળ અને ઉષ્ણ એટલે પ્રતિકૂળ ઉપસર્ગનું વર્ણન આ અધ્યયનમાં છે. એવા સાનુકૂળ ને પ્રતિકૂળ ઉપસર્ગોના પ્રસંગે મક્કમ રહેવાનું આ અધ્યયનમાં શિક્ષણ છે. 724 જીવાજીવનું સ્વરૂપ જાણ્યા વિના અને એકેન્દ્રિયાદિમાં શ્રદ્ધા થયા વિના, સાચા અહિંસક બનવાની પ્રવૃત્તિ થઈ શકે નહિ અને વાસ્તવિક રીતે હિંસાથી બચી શકાય નહિ, માટે પહેલા અધ્યયનમાં જીવ-અજીવનું સ્વરૂપ નિરૂપણ કરી તેની હિંસાથી બચવાનું કહ્યું અને એટલા માટે જ ‘લોકવિજય' કરવાનું બીજા અધ્યયનમાં કહ્યું. ‘લોકવિજય' પ્રસંગે અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગ આવે તેમાં મક્કમ રહેવાનું ત્રીજા ‘શીતોષ્ણિકા' નામના અધ્યયનમાં કહ્યું : કેમ કે ‘લોકવિજય’ની પ્રવૃત્તિ શરૂ થઈ કે ઉપસર્ગની હારમાળા ખડી થવાની. પ્રતિકૂળ ઉપસર્ગ કરતાં પણ અનુકૂળ ઉપસર્ગ ભૂંડા. કોઈ ગાળો દે એ પરીષહ : પણ ગાળો સહેવાની તાકાત હજુય પ્રયત્નથી આવી જાય, પણ સામો માણસ જો પ્રશંસા કરે તેમાં માન ન આવે એ બહુ કઠિન ! છોકરો ઉપવાસ કરવા માંડે એને ધમકાવે કે ‘બેસી જા, કર્યો ઉપવાસ !' - તો કદાચ એ મજબૂત પણ થાય અને કહે કે ‘કરવાનો જ.’ પણ - ‘ભાઈ ! તારું શરીર સારું નથી : તું નહિ કરી શકે.’ - એમ કહે તો પેલો પ્રાયઃ ઢીલો થાય. આ અનુકૂળ ઉપસર્ગ. સંયમના અર્થીને કહેવામાં આવે કે ‘લે તો ખરો, જોઈએ છીએ કેવી રીતે સંયમ લે છે ?’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy