SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧: દર્શનના ઉધોતથી જ્ઞાનનો ઉધોતઃ મિથ્યાદષ્ટિ શાથી સિદ્ધિ પદ ન પામે? નિર્યુક્તિકાર મહર્ષિ શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજા ફરમાવી ગયા કે જ્યાં સુધી મિથ્યાત્વનો પરિત્યાગ ન થાય, ત્યાં સુધી આત્મા ગમે તેવી નિવૃત્તિ કરે, સ્વજન, પરિવાર તથા ધન વગેરેનો ત્યાગ પણ કરે અને અનેક પ્રકારની તકલીફો પણ વેઠે, તો પણ તેને સિદ્ધિપદની પ્રાપ્તિ થાય નહિ. એટલા જ માટે કર્મરૂપી સેનાને જીતવાની ભાવનાવાળા આત્માએ સમ્યગ્દર્શન પામવાની પ્રવૃત્તિ કરવી જોઈએ. સમ્યગ્દર્શન આવે ત્યારે જ તપ, જ્ઞાન તથા ચારિત્ર્ય તે રૂપે સફળ થાય છે. સમ્યગદર્શન વિના એ જ તપ, જ્ઞાન અને ચારિત્ર નિષ્ફળ પ્રાયઃ થાય છે, એટલે કે એનાથી જે મુક્તિ મળવી જોઈએ તે મુક્તિ તો મળતી નથી જ. શસ્ત્રપરિજ્ઞા'માં કહેલા જીવ તથા અજીવના સ્વરૂપને જાણ્યા બાદ, સમ્યક પ્રકારે અહિંસક બનવા તૈયાર થનાર આત્માએ વિષય-કષાય ઉપર વિજય મેળવવો જોઈએ, તે માટે બીજું અધ્યયન લોકવિજય’ કહ્યું. એ લોક પર વિજય મેળવવા માટે વચ્ચે આવી પડતા અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગમાં આત્માએ બરાબર સ્થિર રહેવું જોઈએ. એવા ઉપસર્ગના સમયમાં સ્થિરતા રહે ક્યારે ? ત્યારે જ રહે કે જ્યારે સમ્યક્ત્વ હોય. આ જ કારણે ત્રીજું અધ્યયન “શીતોષ્ણીય' કહ્યા બાદ ચોથું અધ્યયન “સમ્યક્ત્વ' કહ્યું. શ્રી જિનેશ્વરદેવના વચન પ્રત્યે પૂરી શ્રદ્ધા તે સમ્યક્ત્વ. એ સમ્યકત્વ વિના ઉપસર્ગોના પ્રસંગે ધર્મમાં ટકવું એ સહેલું નથી અને એ જ કારણે શ્રુતકેવલી ભગવાને કહ્યું કે ગમે તેવી નિવૃત્તિ કરે, સ્વજન-ધનાદિનો ત્યાગ પણ કરે અને અનેક પ્રકારની તકલીફો વેઠે, તો પણ મિથ્યાષ્ટિ આત્માને સિદ્ધિપદની પ્રાપ્તિ થતી જ નથી. મિથ્યાત્વના યોગે એ નિવૃત્તિ, એ ત્યાગ અને એ તકલીફ, એ બધું જ નકામું નીવડે છે : જોઈએ છે તે ફળ આપી શકતું નથી. કલ્યાણકાંક્ષી આત્માને પ્રભુની આજ્ઞામાં દઢતા પૂરી હોવી જ જોઈએ અને તે હોય તો જ બધી ઉત્તમ ક્રિયાઓ પણ સંપૂર્ણતઃ સફળ થાય, નહિ તો નહિ જ. તપથી કર્મ તપે એની હા, જ્ઞાનથી આત્મા વિવેકી, વિરાગી ને નિર્વિષયી બને એની પણ હા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy