SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ 687 - ૧૦ : સુસાધુની સિંહનાદસમી શુદ્ધ પ્રરૂપણા - 47– ૧૫૯ સભા : સાહેબ ! સારું લાગે તેવું નહિ, પણ સારું થાય તેવું જ કહો. એમાં જ અમે રાજી છીએ. હવે તમે સાંભળો અને હું કહું તેમાં ત્રીજાને લાહ્ય કેમ લાગે ? દોષથી બચવા ઇચ્છનાર દોષ સાંભળવા આવે અને હું હોય તે દોષોને સંભળાવું તેમાં ત્રીજાને શું? બે આડતિયા ઘરમાં બેસી ચોપડા ફેરવે, હિસાબ સમજે, પરસ્પર આપવા લેવાનો નિર્ણય કરે, લે અને દે, તેમાં પાડોશીના પેટમાં કેમ દુઃખે ? ઇર્ષાળુ પાડોશીને એમ થાય છે કે જો આ બેને મેળ ખાય, તો એ એની આબરૂ વધે અને અમારી કિંમત ઊડી જાય, એના જેવી આ મોંકાણ છે. નહિ તો હું આપું અને તમે લો તેમાં ત્રીજાને શું? આપણા બે વચ્ચે ચોપડા તે આગમ ! એના આધારે પરસ્પર આપ-લે કરીએ, તમને આપવા જોગું હું આપું, મને આપવા જોગું તમે આપો, એમાં ત્રીજાને વાંધો શો ? બાકી દયાળુ જ હોય તો દયાનાં સ્થાન એટલાં બતાવું કે તેઓ કરતાંયે થાકે, પણ આ ચોપડાની સામે આંખો લાલ કરવી અને એને આઘાં મૂકવાનું કહેવું, ત્યાં શું દયા છે ? નહિ જ, માટે તેઓને કહો કે જેઓ ચોપડાને ન માનનારાઓ હોવાથી શાસનના ચોટ્ટા બન્યા છે, તેઓની પર દયા ખાઓ અને ખરી રીતે દયા ખાવા લાયક પણ તેવાઓ જ છે. ત્યારે આજ તો વિચિત્ર દયાનો ઝરો કંઈ ઊંધો જ વહે છે. કહેવ જ પડશે કે આજના ગાંડાઓ તરફથી તો દયાના નામે ઘેલછા પ્રસરાવાય છે સભા : સામાવાળાઓ કહે છે કે સાંભળનાર કેવા છે? તેમને કહેજો કે તમારા જેવાથી સારા છે અને સમજનારા છે તથા ડાહ્ય છે તેમજ વધુમાં લાખ્ખોનો વહીવટ કરનારા પણ છે.” અને એથી આગળ વધવું પડે તો એમ પણ કહેજો કે તમારા જેવા કંકને જિવાડનારા એ આ સાંભળનાર છે.” તમે ચોક્કસ માનો કે તમારું તથા અમારું બળ જો એક થઈ જાય તો એમનું બળ તૂટે, એ ગભરામણની જ આ બધી ધમાલ છે. વાતવાતમાં કહેવામાં એ આવે છે કે “સાધુ મૂંગા રહે તો સારું પણ એ કહેનારાઓને પૂછો કે એનું કંઈ કારણ?વળી સંસારમાં સેવા અને વિષયકષાયને આધીન એવાઓ જો બોલ્યા વિના ન રહે, તો સંસારથી વેગળા રહેલા સાધુઓ શા માટે લોકોને વિષયકષાયથી બચાવવા સારુ ન બોલે? ચોટ્ટાઓ ગલી કૂચીમાં, આઘે આઘે ખૂણે પેસી બોલે, કોચવાનાં કામ કરે અને રોન મારનારી પોલીસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy