SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ - આચારાગસૂત્રના વ્યાખ્યાના - ૩ - 62 અને વ્યાધિથી છૂટે અને દુ:ખના દરિયામાંથી નીકળી સુખના સાગરરૂપ મુક્તિમાં પહોંચે, આવું બોલો. ચોતરફ આ ઉદ્ઘોષણા કરો. શ્રાવક તો એમ કહે કે “મારા આત્માને મોહ બહુ સતાવી રહ્યો છે, માટે એમાંથી મુક્ત થવા શ્રી વીતરાગદેવના મંદિરમાં ગયો હતો !' કોઈ કહે કે – “તો સંસારમાંથી નીકળતા કેમ નથી ?' આ પ્રશ્નનો ઉત્તર એ જ આપે કે “કમતાકાત છું કે હજી મારા ઉપર જોઈએ તેવી છાયા પડતી નથી. એ મૂર્તિએ અનેકને તાર્યા છે પણ હું હજી તેવા પ્રકારનો લાભ લઈ શકતો નથી. આરંભાદિ અધર્મમાંથી છૂટાય એ માટે જ મંદિરમાં જાઉં છું!” આવું કહે તો ઇતર પણ સમજે કે ના, ના, ભાઈ, કંઈક પણ છે. વારુ, “તમારા સાધુ તમને શું કહે ? જંજાળ છોડવાનું કહે કે વધારવાનું ?” - આમ પૂછનારને શ્રાવક તો એમ જ કહે કે “અમારા નિગ્રંથ તો એવા છે કે, બધું છોડીને આવ્યા છે અને સલાહ પણ તેવી જ આપે. કહો, હવે આને કોઈ રૂઢિ કહે ? આવી મહત્ત્વની ક્રિયાને મશ્કરીના રૂપમાં રૂઢિ કહેવી, એ અપમાન કરવા બરાબર છે ! માટે એમ ન કહેતા – ‘તમે શા માટે જાઓ છો ?' - એમ પૂછે તો તમે કહો કે “લાભ લેવા.' શાનો ? ત્યાં જે છે તેનો. પૈસા તો ત્યાં નથી. પૈસાનો નહિ પણ વીતરાગતાનો. એમની ભક્તિ, સેવા, પૂજામાં ભાવના આત્મકલ્યાણની જ રખાય. શ્રી જિનેશ્વરદેવની પૂજા અને નિગ્રંથની સેવા, વગેરે વગેરે ક્રિયાઓ કલ્યાણાર્થીઓ માટે રૂઢ થઈ ગયેલી હોવાથી જ તે ક્રિયાઓને રૂઢિ કહેવાતી હોય, તો એમ પણ ભલે કહેવાઓ, કારણ કે આત્મકલ્યાણ કરનારી ક્રિયાઓ રૂઢ થઈ ગઈ હોય એ તો આનંદની જ વાત છે અને એથી એ કરવામાં વાંધો જ નથી, એટલું જ નહિ પણ અવશ્ય કરવી જ જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy