SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ——– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૩ – સભા: એ તો નાનાને ? હા ! હવે આવો મોટામાં. પંચંદ્રિય મોટા તે પણ તમારા સ્વાર્થની આડા આવે તો તમને શી ભાવના થાય ? શ્રાવક બનો તો પણ તમારો નિયમ તો નિરપરાધી માટે ને! તો પછી અપરાધી માટે શું? તમે જ્યાં તમારું માન્યું, ત્યાં જે ખલેલ કરે તેની સાથે તમારે પાલવવાનું છે જ નહિ. ખરેખર, મનુષ્યને માથે જો આટલો ધર્મનો અંકુશ ન હોત, તો એ નગરમાં પ્રવેશવા જોગ પણ ન હોત. બજારમાં ફરવા જોગા જે છે, તે પણ સામાન્ય ધર્મના અંકુશથી ! આટલો અંકુશ પણ ન હોત તો શું થાત ? દુનિયાદારી એ એવી ચીજ છે કે કઈ વખતે તે આત્માને પાયમાલ કરશે તે ન કહેવાય ! તમે ભાગ્યવાન હો, પુણ્યવાન, હો, સંયોગો સારા રહે અને પાયમાલી ન થાય તો સારી વાત, પણ સ્થિતિ ફરે ત્યારે દુનિયાદારીમાં રહેલો શું કરશે તે ન કહેવાય. દુનિયામાં મનુષ્ય જે હાનિ કરી છે, તેવી કોણે કરી છે ? આથી જ જ્ઞાની કહે છે કે દુનિયાની સાથે મુનિને મેળ ન હોય. આટલા માટે તો દુનિયાદારીથી વિશિષ્ટ એવા આત્માનો ત્યાગ કર્યા પછીથી જ અહીં અવાય છે. ___पडिक्कमामि, निंदामि, गरिहामि, अप्पाणं वोसिरामि" પૂર્વે સેવેલી દુનિયાદારીથી પાછો ફરું છું, નિંદુ છું, હું છું, અને પાપક્રિયાથી વિશિષ્ટ એવા આત્માનો પરિત્યાગ કરું છું.” આ જાણો છો ને! આથી જ મુનિથી દુનિયાદારીની અવસ્થાનું સ્મરણ પણ ન થાય. મુનિ તમારા તારક શાથી? ધર્મજ્ઞ, ધર્મકર્તા (ધર્મકારક) અને ધર્મદેશક માટે ! ધર્મને જાણે, એટલું જ નહિ પણ ધર્મને કરે અને દે તો ધર્મને જ દે, માટે મુનિ તમારા તારક ! ધર્મજ્ઞ ન હોય, ધર્મ ન કરે અને દે તો ધર્મની જ દેશના ન દે, તો ઉપકાર કરે શી રીતે ? મુનિ દુનિયાદારી સાથે ભળ્યા કે મુનિપણું વગર શંકાએ ચાલ્યું સમજવું. નવકારના પાંચ પદમાં મુનિને પાંચમે પદે મૂક્યા છે. શ્રાવક અને શ્રાવિકામાં ધર્મ સર્વથા નથી એમ નહિ, છે છતાંય એ નવકારના પાંચ પદમાં નહિ : કારણ કે એનામાં સાવઘક્રિયાની જ માત્રા વધારે છે અને મુનિ તો સર્વથા સાવઘક્રિયાથી વિરમેલા છે. નવપદમાં પણ પાંચ પદ એ અને પછી દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપને લીધાં, પણ શ્રાવક-શ્રાવિકાને ન લીધાં શ્રાવક-શ્રાવિકાને કોઈ પદમાં ન રાખ્યા, કારણ કે એ સાવદ્યમાં રહેલ છે. એનામાં નિરવઘતાનો અંશ કેટલો? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy