SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૭: શિક્ષણનો હેતુ શો ? 44 • શિક્ષણના હેતુને ન વિસરો : ૯ ભણનારાઓની પરીક્ષા લો : ૦ શ્રી આચારાંગનાં અધ્યનનો કેટલાં અને કયાં છે તમારી લક્ષ્મીથી ધર્મના ઘાતક ઊભા ન કરો : ક્યાં ? રાગના સેવક વીતરાગની સેવા ન કરી શકે : • રાગના સેવક વીતરાગની સેવા ન કરી શકે : ૧ ભણનારાઓની પરીક્ષા લો : વિષય : પરલોક સુધારવાના સંસ્કાર આપે તે શિક્ષણ. સૂત્રધારે આચારાંગનાં અધ્યયનોની સંખ્યા અને નામ વર્ણન. પ્રથમ શસ્ત્રપરિજ્ઞા અધ્યયનનો જીવસંયમ અર્થાધિકાર શા માટે? પૂર્વના પ્રવચનમાં સાચા અને ખોટા શિક્ષણનો તફાવત વર્ણવ્યા બાદ પ્રવચનકારશ્રી આ પ્રવચનમાં એ જ વાતને જરા વિગતથી સ્પર્શે છે. અહીં શિક્ષણ આપવું જરૂરી છે પણ એ શિક્ષણ શા માટે આપવું? એ પ્રશ્ન ચર્યો છે. માત્ર આ લોક તરફ ઢળે કે ઢાળે તે શિક્ષણનો હેત નથી પણ વાસ્તવિક શિક્ષણનો વાસ્તવિક હેતુ તો આત્માને પરલોક તરફ ઢાળવું એ જ છે. જો એ હેતુ સરતો ન હોય તો એવા શિક્ષણને કોઈ પણ રીતે ટેકો ન આપી શકાય. તેમાં નાણાં પણ ન જ આપી શકાય. આ જ પ્રવચનમાં એ શિક્ષણની વાતના અનુસંધાનમાં આચારાંગ સૂત્રનાં અધ્યયનોની સંખ્યા અને નામોનું પણ ટૂંકું વર્ણન કરી પ્રથમ અધ્યયનમાં આવતી જીવસંયમની વાત પણ ચર્ચા છે. મુલાક્ષાગૃd. • જ્ઞાન સફળ થાય તે માટે જ્ઞાન લેતાં પહેલાં વિનય જોઈએ. એ વિનય ન હોય તો અજીર્ણ જ થાય. • શિક્ષણ લેતાં કે દેતાં પહેલાં રૂચિ કેળવતાં શીખો. • શિક્ષિત તો એવો હોય કે દરેકને તેની સાથે વાત કરવાનું મન થાય. • તમે કોઈને દુઃખી કરો અને તમે સુખી થાઓ, એ કદી જ નહિ બને. • જ્ઞાનીઓએ જીવોનું સ્વરૂપ જે બતાવ્યું છે તે પાપથી બચવા માટે, નહિ કે પાપમાં ભળવા માટે. • રાગીને વીતરાગ સાથે મેળ ન ખાય, જો રાગની સામે થવાય તો તો આ બધું ગમે ! • એવા ઉત્તમ શબ્દો બોલો કે દૂધ પીતાં પણ બાળક એ જ ગ્રહણ કરે. • વાસ્તવિક રીતે ધર્મગુરુના પદે બેઠેલો આત્મા આ લોક તરફ ઝૂકી શકે જ નહિ. જરૂર પડ્યે શેરીએ શેરીએ ફરી ત્યાગનો પોકાર કરી શકાય છે. • અમે શાનો પોકાર કરીએ ? ઘર મંડાવવાનો કે વેપારવણજ કરવાનો ? એવું કરીએ તો તમે હમણાં માન આપો, પણ તમારા એવા માનમાં પડ્યા એટલે તો સત્યાનાશ જ. ત્યાગીથી ભોગીની આજ્ઞાને આધીન ન જ થવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy