SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ઃ આગમનો સાર શું ? 41 • શ્રી આચારાંગ એ પ્રથમ અંગ છે અને તે શ્રી જિન પ્રવચનનો સાર છે : • સારામાં સારભૂત શું ? • અવ્યાબાધ સુખ મોક્ષ વિના બીજે નથી : માંગીને મેળવનારની અવદશા કેવી ? ૧ આપત્તિ કરતાં સંપત્તિથી વધુ ડરો ! ૭ મુનિપણું શાથી કઠિન જણાય છે ? • નારકીને દુઃખ કેટલું અને તે ફરી નારકી કેમ ન થાય ? • દેવો મરીને દેવ ન થાય તેનું કારણ ? વિષય: આગમનો સાર શું? આચારાંગનો સાર શું? અનુયોગનો સાર શું? પ્રરૂપણાનો સાર શું ચારિત્રનો સાર શું અને નિર્વાણનો સાર શું? શરૂઆતમાં નિર્યુક્તિકાર અને ટીકાકાર મહર્ષિના શબ્દોના આધારે ઉપરોક્ત પ્રશ્નોની ચર્ચા કર્યા બાદ દ્વાદશાંગીના સારને કોણ મેળવી અને પચાવી શકે ? એ વાતના નિરૂપણમાં દ્વાદશાંગીથી શું મળે અને શું મેળવવા યોગ્ય છે એ વાત જણાવી માંગીને મેળવનારની અવદશા કેવી એ અંગે વિગતથી ફોડ પાડી જણાવ્યું છે. આવી મળેલી રતિથી વિરક્તિ વધે અને માગીને મેળવેલ રતિથી વિરક્તિ વેચાઈ જાય' - આ મુદ્દો ખૂબ જ ગંભીર શૈલીમાં સમજાવ્યો છે. એના જ અનુસંધાનમાં આપત્તિ-પ્રતિકૂળતા કરતાં સંપત્તિ-અનુકૂળતામાં ટકી રહેવું કઠણ છે, મુનિપણાની કઠણતા એના જ આધારે, નારકીનું દુઃખ અને દેવોનું સુખ તેમજ તેમના ફરી તે ગતિમાં નહિ ઉત્પન્ન થવાનાં કારણો દર્શાવીને મનુષ્ય જીવનની મહત્તા સર્વાધિક કેમ તે જણાવી પ્રવચન પૂર્ણ કર્યું છે. મુવાક્યાતૃત • સુખ જોઈએ છે અવ્યાબાધ અને કાર્યવાહી જુદી હોય તો એ સુખ ન જ મળે ! ૦ માગવાથી મળેલું પૌલિક સુખ, દુઃખના ખાડામાં ગબડાવ્યા વિના પ્રાયઃ રહેતું નથી. રતિ આવી મળે ત્યાં વિરક્તિ વધે છે અને રતિ માગી મળે ત્યાં વિરક્તિ વેચાઈ જાય છે. • સમ્યગ્દષ્ટિ આત્મા અવસર મળે તો દુનિયાના રંગરાગને - દુનિયાના પદાર્થોને વગોવે ખરો, પણ વખાણે તો નહિ જ. • અશુભોદય કરતાં શુભોદય ભોગવવો કઠિન છે. • સમ્યગ્દષ્ટિ લક્ષ્મી આવે તો નાચે નહિ અને જાય તો મૂચ્છિત પણ થાય નહિ, અને મિથ્યાદિષ્ટ આવે તો પગ પછાડે અને જાય તો માથું ફોડે ! • સમ્યગ્દષ્ટિ સુખ આવે તો પણ મૂંઝાય નહિ અને જાય તોયે મૂંઝાય નહિ. • સમ્યગ્દષ્ટિ આનંદ કે શોકનો અતિરેક કરે જ નહિ. • વિષયની સામગ્રીથી દૂર રહો તો વાસના તો આપોઆપ મરી જશે. • જિનેશ્વરદેવની આજ્ઞાના આદર્શની નિકટ મનુષ્ય પહોંચી શકે છે. મનુષ્યના સંયોગો એવા છે કે જેથી દેવો પણ તેને પહોંચી ન શકે. • કોઈને ઊંચકીને મોક્ષમાં કોઈ મૂકી દે', એવો કાયદો અહીં નથી. તમે કાર્યવાહી નહિ કરો તો તમને પણ મોક્ષ નહિ જ મળે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy