SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ : તીર્થની આરાધનાનો અવસર • તીર્થારાધનાની તાકાત કેળવો ! આમાંથી ફલિત થાય છે. ‘નય વીયરાય’ સૂત્રનાં અદ્ભુત રહસ્યો : ♦ ધર્મગુરુ શા માટે ? વિષયઃ તીર્થની આરાધનાની અનિવાર્યતા અને તે માટેનો સુયોગ્ય સમય માનવભવ જ છે. ‘જયવીય’ સૂત્રનાં રહસ્યોનું પ્રગટીકરણ. મંગલાચરણ શ્લોક - ૨ 5 તીર્થની મહત્તાને પૂર્વનાં પ્રવચનો દ્વારા સ્થાપિત કર્યા બાદ એ જ અનુક્રમમાં આગળ વધી અત્રે તીર્થ કેવું અનિવાર્ય અને આરાધ્ય છે, વળી એની આરાધના માટે સુયોગ્ય માનવભવ મેળવ્યા બાદ તો એ આરાધના કેવી વેગવંતી બનવી જોઈએ વગેરે વાતોની સુંદર છણાવટ કરાઈ છે. શાસનને સમજવા શાસનપતિને કરાયેલ જયવીયરાય સૂત્રાંતર્ગત પ્રાર્થનાઓ ઉપર પ્રૌઢ શૈલીમાં આ વ્યાખ્યાનથી ક્રમશઃ વિવેચના પ્રસ્તુત થવા પામી છે જે વીશમા પ્રવચનમાં પૂર્ણ થાય છે. આ સંપૂર્ણ નિરૂપણ અત્યંત અદ્ભુત છે. નારદ-વસુરાજા અને પર્વતની વાર્તાનો પણ અત્રે ઉપયોગ કરાયો છે. આ પ્રવચનમાં પ્રારંભના જયવીયરાય – જગગુરુપદની વિવેચના થઈ છે તે આગળ વીશમા પ્રવચનમાં પૂર્ણ થશે. સુવાકાભૂત ♦ જેમ શક્તિ છુપાવવી નહિ તેમ શક્તિથી આગળ પણ જવું નહિ. ♦ શક્તિ છુપાવીએ તો ગુનેગાર બનીએ. અમલ ન કરીએ તો વંચિત રહીએ અને શક્તિથી આગળ વધી જઈએ તો કરી શકતા હોઈએ તે પણ ગુમાવી બેસીએ. ૦ આ આગમમાં એવી તાકાત છે કે ચોવીસે કલાક, અરે ! આખી જિંદગી શાંતિમાં રાખે. ♦ માત્ર વીતરાગ જ્યાં જયવંતા વર્તે છે, ત્યાં મુક્તિ અને મુક્તિનો માર્ગ : જ્યાં તે નથી ત્યાં મુક્તિ પણ નથી, અને મુક્તિનો માર્ગ પણ નથી. વીતરાગના યોગે આપણે છીએ, આપણા યોગે એ નથી. • અહીં પણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મુજબ અપાતું ન લાગે તો ઊઠીને ચાલ્યા જવું. એક સેકંડ પણ થોભવું નહિ. કે ખોટું અપાતું હોય છતાં પણ સભા શોભાવવા, મહત્તા ખાતર કે ભલું લગાડવા ખાતર બેસવું, એ બુદ્ધિમત્તા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004825
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy