SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ @@@GU®લે ''સામા છમાસ તવ હસ’'...I/૧રૂ II ચરમ તીર્થપતિશ્રી મહાવીર પ્રભુના શાસનમાં સંયમ જીવન પ્રાપ્ત કર્યા પછી અનાદિના મોહના ક્ષયોપશમ-ક્ષય માટે સામાચારીનું પાલન કરવાનું છે. સામાચારીનું પાલન કેવી રીતે કરવું ? તેનું માર્ગદર્શન પૂ. આ. ભાવદેવસૂરિ વિજય મ. આ ગ્રંથ દ્વારા જણાવી રહ્યા છે. તેમાં રાઇ પ્રતિક્રમણની વાત ચાલી રહી છે. “આયરિય ઉવજઝાય” સૂત્રના માધ્યમે સર્વજીવોની ક્ષમાપના કર્યા પછી “કરેમિ ભંતે’ વિગેરે કહી છમાસી તપનો કાઉસગ્ગ કરે. કાઉસ્સગ્ન પ્રથમ ગુરુ મ. પાળે પછી જ પળાય. ગુરુ મ. ને વાર લાગે તો ખમવું જોઇએ. “સયણા સણત્ર” ની ગાથા ગુરુ મહારાજ ત્રણ વાર કહે, બીજા સાધુ એકવાર કહે, બીજા સાધુને બધા દોષો વિચારતાં વાર લાગે. ગુરુને વાર ન લાગે. કેમકે ગુરુ મ. ને બહાર જવાનું નથી ; આથી દોષો ઓછા લાગે, માટે અર્થનું વધુ ચિંતન કરવાનું નથી. બન્નેનો ટાઇમ સાથે મેળવવા કરવા માટે ગુરુને ત્રણવાર ગાથા ગણવાની અને બીજા સાધુને એકવાર ગાથા ચિતવવાની. એ ચિંતવના કરે ત્યાં સુધી ગુરુ ત્રણ વાર ગાથા બોલે. આથી બન્ને સાથે “નમો અરિહંતાણ” કહે ગુરુને ત્રણવાર અને શિષ્યને એકવાર ગાથા બોલવાનું આ મુખ્ય કારણ છે. જેથી ગુરુ તથા શિષ્યો સાથે કાઉસગ્ગ પારી શકે. વહેલું પ્રતિક્રમણ કરનારે તપ ચિતવણીનો કાઉસગ્ગ ન કરાય. ૩ વાગ્યે પ્રતિક્રમણ કરનારે ગM વ તિરી’ ? આજે કઇ તિથી થઇ. એમ ક્યાંથી બોલાય? રાત્રે તિથી જ ક્યાં ? માટે રાત્રે પ્રતિક્રમણ કરનારને પંચ આવશ્યક થાય. આ મોટો દોષ છે. હાં, સમયે પણ પ્રતિક્રમણ કરનારે પડું આવશ્યક પૈકી પચ્ચકખાણ લેવાય જ વાચના-૩૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy