SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ काउण वामजाणुं हिठ्ठा उद्धं च दाहिण जाणुं सुतं भाणंति सम्मं करजुयकयपुत्तिरयहरणा | ડાબા પગને હેઠે રાખી; જમણા પગને ઉંચો રાખી ઓધો મુહપત્તિ હાથમાં રાખી પગામ સઝાય કહે. વીરાસનમાં જમણો પગ ઉભો. ડાબો પગ નીચે એમ મુખ્ય છે પણ, વીરાસનમાં ૫ પ્રકારે મુદ્રા થાય છે. તેમાં પગામ સઝાયની ઇજ્વાસન મુદ્રા છે. તેમાંય અપ્રમત્ત ભાવ કેળવવા ડાબા પગના ઢીંચણને જમીનથી ૨ આંગળ અદ્ધર અને જમણા ઢીંચણને છ આંગળ ઉંચો રાખે. તેમાં હાથની મુદ્રા યોગમુદ્રા જાળવે. આસન ઉપરોક્ત હોય. આ આસને બેસી સY’ સમ્યગુ ઉપયોગવાળો બની પ્રતિક્રમણ સૂત્ર= ગામ સઝાય બોલે. સૂત્ર બોલતાં પદ-પદે સંવેગભાવ વધતો જાય. ડાંસ-મચ્છર વિગેરેના ડંસ ને સહન કરી આત્મભાવમાં સ્થિર રહી આલોચના કરે. પ્ર. પગામ સઝાય પૂર્વે નવકાર, કરેમિભંતે વિગેરે સૂત્રો કેમ ? જ. પગામ સઝાય સૂત્રના માધ્યમે આત્મશુદ્ધિનું વિશિષ્ટ કાર્ય કરવાનું છે. સાધુએ સર્વકાર્ય નવકાર મહામંત્રના સ્મરણ પૂર્વક જ કરવાની આજ્ઞા છે. અહીં દોષોની શુદ્ધિનું મહત્વનું કાર્ય છે; તેથી પહેલાં નવકાર ગણવાનો. સમભાવમાં સ્થિર થયા હોઈએ તો વિભાવ દશા ખૂંચે અને પોતાના દોષો-અતિચાર દેખાય, તેથી શુદ્ધિ થઈ શકે. આમ સ્વદોષ દર્શન માટે સમભાવ રૂપ સ્વભાવદશા જરુરી છે. “કરેમિ ભંતે' સૂત્ર દ્વારા આપણે સમભાવમાં સ્થિર થવાનું છે. મંગલ કરવા માટે વારિ મંર્તિ વિગેરે ૩ ગાથા બોલવાની. દિવસ સંબંધી કે રાત્રી સંબંધી અતિચારની આલોચના કરવા ડુમિ પતિવમાં સૂત્ર’ બોલવાનું છે. ગમણાગમણમાં લાગેલા અતિચારની અલગ આલોચના માટે ઇર્યાવહિયા બોલી બાકી રહેલા સાધુ જીવન સંબંધી બધા જ અતિચારની આલોચના કરવા શ્રમણસૂત્ર બોલવાનું છે. તસ્ય ધમ્મસ્સવ પદ સુધી બેસીને બોલે. શેષ વંને નિઈ કવ્વીસ’ સુધી સંપૂર્ણ સૂત્ર 'ગુત્થાન’ ઉભા થઇને બોલે. આલોચના કરવાના કારણે અતિચાર-દોષોના ભારથી હલકો થઈ ગયો છે. આત્માના પ્રદેશ-પ્રદેશે સંવેગભાવ વ્યાપી ગયો છે. આથી આરાધના કરવાનો નવો ઉત્સાહ જાગે છે. આ આરાધના કરવા દ્રવ્યથી શરીર વડે અને ભાવથી આત્મ જાગૃતિ વડે ઉભા થાય. પગામ સઝાય પછી દ્વાદશાવર્ત વંદન કરે. તેમાં પ્રથમ વંદન ભક્તિનું છે એ કરી તેમાં આવસ્સિયાએ બોલી અવગ્રહની બહાર નીકળે બીજું વંદન ક્ષમાપનાનું છે. વાચના-૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy