SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ quad=26 सबस्सवि दंडओ चेव ||१०|| પૂ. આચાર્ય ભાવદેવસૂરિ “યતિદિન ચર્યા' ગ્રંથના માધ્યમે રાઇ પ્રતિક્રમણનો અધિકાર જણાવી રહ્યા છે. તેમાં સર્વેસ્સવ દંડો જેવ’’ થી પ્રતિક્રમણ ઠાવવાનું જણાવે છે. સર્વેસ્સવિ’’ એ દંડક સૂત્ર છે. પ્રતિક્રમણ ઠાવતાં 'સલ્વેસ્તવિ દંડક બોલે. આત્મા જેનાથી વિટંબણાત્રાસ પામે તે દંડ. આવા દંડને કાપે તે દંડક. - વિટંબણા દુઃખ આવે અશાતાના ઉદયે, પણ દુઃખ રુપ અશુભ પણ પરિણમે છે મોહનીયના ઉદયે. અશાતાના ઉદયમાં પણ જો મોહનીયનો ક્ષયોપશમ હોય તો અશાતા પણ શુભપણે પરિણમે છે. જેમ ગજસુકુમાલ, બંધક મહામુનિ વિગેરે દુ:ખ આપનારને ભાઇ થકી ભલેરો માને છે. “પોતે દુઃખ ઉઠાવી નુકશાન સ્વીકારી મારું ભલું કરે છે” જગતના જીવો, બાંધવ વિગેરે પોતાને નુકશાન ન થાય તેમ કરે પણ આ તો મને બંધનમાંથી મુક્ત કરી રહ્યા છે. આમ તેઓ ભાવદયા ચિંતવે છે. અને અશાતાના તીવ્ર ઉદયમાં પણ શાંત રહે છે. આ જ મોહનીયનો ક્ષયોપશમ છે. અશાતાના ઉદયને સામે જઇને સહે. ઉદીરણા કરે છે. પ્રતિકૂળ પરિસ્થિતિને સહે તેજ સાધુ. પરિષહ સહે તે જ સાધુ. આપણે તો શિયાળાના પહેલાં જ કામળી લઈ રાખીયે. પરિષદોને સહેવાની વિચારણા પણ નથી. આચરણની તો વાત જ ક્યાં ? પરમાત્માનું શાસન મલવા છતાં મોહના દંડથી દંડાઇ રહ્યા છીએ. તે મોહના દંડને દૂર કરવાનો છે. દંડને કાપી નાખે તે દંડક. આધિ, વ્યાધિ, ઉપાધિ મોહનીયના સંસ્કાર વિગેરે સ્વરૂપ દંડને કાપે તે દંડક. આ સૂત્રના માધ્યમે કૃત્યાકૃત્યના નિર્ણયથી આત્માને પોતાની જાતને પાછી વાળી શકે છે. ૧૦ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં પ્રથમ આલોચના અને બીજું | વાચના-૨૯ [૧] ''. * : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy