SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રની શુદ્ધિ માટે પોતાના ગુરુ કરતાં બીજે વધુ સારું લાગે તો ગુર્વાજ્ઞાથી બીજે જાય, ગુરુ પણ સામાચારીના જ્ઞાતા હોય. “આનો જ્ઞાન-દર્શન-ચારિત્રમાં વિકાસ ત્યાં સારો થશે એમ પણ જાણે'' આથી ના ન કહે “જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃદ્ધિ અર્થે હું આપની પાસે આવ્યો છું. એમ કહે તે અન્ય ગુરુની નિશ્રા વિધિ પૂર્વક સ્વીકારવી તે ઉપસંપદા. ઉપસંપદા એટલે ? ઉપ = પાસે સમ્ = સમ્યક પ્રકારે પદ = સ્વીકાર કરવો. જ્ઞાન-દર્શન-ચારિત્રની વૃદ્ધિ માટે ગુરુ મહારાજનો સ્વીકાર, પોતાના ગુરુ કરતાં બીજા પાસે જ્ઞાન વધુ હોય તો ત્યાં જાય અથવા તો દર્શન શુદ્ધિ માટે દ્રવ્યાનુયોગનો વિષય સારો હોય તો ત્યાં જાય વળી. “અમારું ચારિત્ર સારું નથી તમારા યોગ્ય અમારી પાસે સામગ્રી નથી માટે આપ રાખો.' એમ ગુરુ મ.સા. લેખિત આપીને શિષ્યને જ્યાં મોકલે ત્યાં જાવજીવ રહે. આ ચારિત્રની શુદ્ધિ થઇ. માટે જ યતિઓના કહેવાથી વિજય પ્રભ સૂરિ વિગેરે એ ક્રિયાનો ઉધ્ધાર કર્યો. વાસક્ષેપ પોતે નાંખ્યો. આમ ભવભીરુ ગુરૂ અન્ય પાસે મોકલે આ ઇચ્છા મિચ્છાદિક દશવિધ સામાચારી થઇ. ઇચ્છાકાર આદિ સામાચારી તથા ચક્રવાલ સામાચારી બન્ને જુદી સામાચારી છે. ચક્રની જેમ ક્રમ પ્રમાણે ચાલે તો ચક્રવાલ સામાચારી. સૂર્યોદયની પ્રથમ ઉપધિ, પડિલેહણ, વસતિ પ્રમાર્જના ગોચરી જયણાથી વાપરે. પાતરા સાફ કરો. અંડિલ જાય. માંડલા પ્રતિક્રમણ વિગેરે કરવાતે ચક્રવાલ સામાચારી અહીં સ્વાધ્યાય ગૌણ કર્યો છે. બતાવ્યો નથી કેમકે શેષ સમયમાં સ્વાધ્યાય જ કરવાનો છે. “મહાનશીથ' સૂત્રમાં આ ચક્રવાલ સામાચારી ૧૦ પ્રકારની કહી છે. (૧) પડિલેહણ (૨) પ્રમાર્જના (૩) ભિક્ષા (૪) ઇરિયા (૫) આલોચના (૬) વાપરવું (ભોજન) (૭) પાત્ર ધોવા (૮) વિચાર | વિહાર અંડિલ જવું. (૯) સ્પંડિલ ભૂમિની પ્રાર્થના (માંડલા) કરવી (૧૦) આવશ્યક પ્રતિક્રમણ કરવું. આ સામાચારી “પ્રાતઃ પ્રભૂતિ'' સવારથી આટલી ક્રમશ કરવાની છે. ૧) વસ્ત્ર-પાત્ર વિગેરે ઉપધિ સવાર-સાંજ યોગ્ય સમયે વિધિ પૂર્વકપડિલે હણ કરવું. : : : :::::: રોજ ::::::::::::::::::::::: વાચના-૫૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy