SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ રીને તુંબડી પાત્રનું પ્રમાર્જના કરતાં કરતાં જાતિસ્મરણ થયું. તેમને ક્રિયાના સંસ્કાર કેટલા દ્રઢ થયા હશે ? કે તે જ ભવે કેવળજ્ઞાન સુધી પહોંચી ગયા. આથી પડિલેહણ બહુમાન પૂર્વક જ્ઞાનીઓની આજ્ઞાને સામે રાખી કરવું. તેનો અનાદર આશાતના ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. “છેદસૂત્રમાં છે કે એક સાધુ ક્રિયાની ઉપેક્ષા કરનાર નિર્ધ્વસ પરિણામી હતા. પડિલેહણનો સમય થયો હોવા છતાં પડિલેહણ ન કરે. તેથી કોઇ સાધુએ કહ્યું, “પાતરા પલેવાનો સમય થઇ ગયો છે'' આ સાંભળી તે પ્રમાદી સાધુએ ગુસ્સે થઇ કહ્યું $િ $ સપ્ટો વિક્ = રૂત્તિયમિત્તથમિ પહિતેT’’ શું ઘડીકમાં આમાં સાપ આવી ગયો છે ? તે વારેવારે પડિલેહણ કરવાનું ? શાસનદેવીએ આ સાંભળ્યું તેથી દેવીએ પાતરામાં સાપ મૂક્યો. સાપે ફૂંફાડો માર્યો. સાધુ તપસ્વી હતા એથી પાતરા પડિલેહણ કરવાની શી જરૂર ?' એમ માનતા હતા. એને દેવીએ ઠેકાણે લાવ્યા. સાધુએ ક્ષમાપના માંગી. પડિલેહણ બે પ્રકારે છે. (૧) દ્રવ્ય પડિલેહણ (૨) ભાવ પડિલેહણ. દ્રવ્ય પડિલેહણ વસ્ત્ર પાત્ર વિગેરેનું પડિલેહણ તે દ્રવ્ય પડિલેહણ; તેના માધ્યમે જ (૨) ભાવ પડિલેહણ કરવાનું છે. અર્થાત્ મોહનીયના સંસ્કારને ઘટાડવાના છે. પડિલેહણ કરવાનો આજ મુખ્ય હેતુ છે. જીવરક્ષા માટે પડિલેહણ કરવું તે સામાન્ય હેતુ છે, મુખ્ય હેતુ નહીં. પ્રતિક્રમણમાં વારંવાર મુહપત્તિ પડિલેહણ દ્રવ્યથી છે. એ ગૌણ વાત છે. પણ તે પડિલેહણા કરવાથી મોહનીયનો ઘટાડો કેટલો થયો ? એ મુખ્ય વાત છે. મોહનીયનો ઘટાડો તે જ પડિલેહણાદિનું ફળ છે. તે ક્યારે થાય ? સાતે વે પન્ન પડિલેહણ કાળે કરવાથી નિર્જરા રૂપ ફળ મળે છે. પડિલેહણા આઘી પાછી ભણાવી.' એટલે તેના (પડિલેહણના) સમય વિના વહેલા-મોડા પડિલેહણ કરવું તેવો અર્થ છે. “અસ્ત-વ્યસ્ત કીધી''. એટલે પડિલેહણનો ક્રમભંગ કરે. પહેલાં પાતરાં કપડા વિગેરે જેમ-તેમ કરે. સગવડિયા ધર્મથી ક્રિયા ન કરાય. કૃષિવલી એટલે ખેતી કાળે યોગ્ય સમયે થાય તો ફળ આપે છે; ધાન્ય પાકે છે. તેમ પડિલેહણ વિગેરે ક્રિયા પણ તેના યોગ્ય કાળે કરે. જે કાળે જે કરવાનું છે તેમાં ઉપયોગ સ્થાપે. પ્રતિષ્ઠા, લગ્ન, દીક્ષા વિગેરેનું મુહૂર્ત જેમ જળવાય છે તેમ પડિલેહણ વિગેરે ક્રિયાનો પણ સમય જાળવવો. સ્વાધ્યાય, વિહાર, ગોચરી, ચંડિલ વિગેરે પણ નિયનિય નિ તેના તેના વાચના-પ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy