SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ સિવાયના પરિષહો ન આવે તોય સાધુ નિર્જરાની બુધ્ધિથી ઉદીરણા કરે, આથી પોતાની શક્તિનું માપ નીકળે. પરિષહની ઉદીરણા કરી અધ્યવસાય ટકે-માનસિક ધીરતા રહે ત્યાં સુધી સહન કરે-તત્વાર્થ સૂત્રકારે ‘“માધ્યિવન નિર્ણરા4'' એ પરિષહના સ્વરૂપમાં જણાવ્યું છે. મોક્ષની સાધના માર્ગમાં ટકી રહી નિર્જરા કરવા માટે પરીષહો છે. અર્થાત્ કર્મના બંધ ને તોડવાના લક્ષ-ઇરાદાપૂર્વક સહે તે પરિષહો કહેવાય. ૨૨ પરિષહોમાં પ્રતિકૂળ-અનુકૂળ બંને પરિષહો આવે. (૧) ક્ષુધા પરિષહ : ક્ષુધા જે મુશ્કેલીથી સહન થાય શરીર ટકાવવા આહાર જોઇએ. તે ન હોય તો શક્તિ ન રહે, આત્મામાં સંકલેશ થાય અને મન ડામાડોળ થાય. ૬૦ વર્ષ પછી ઘડપણ આવે તો હજી સમજે કે હવે શરીર થાક્યું છે. ઇન્દ્રિયની ક્ષીણતા શરીર ક્ષીણ થવાથી થઇ છે એમ સમજે, પણ જેને રોજ કોથળો ખભે નાંખી ૧૫/૨૦ માઇલ જવું પડે એની શક્તિ રોજ ક્ષીણ થાય. ખાવા, પીવાનું, ન્હાવવાનું મળે નહિ, એથી, ``પંથ સમા નત્યિ ખરા’’ એશઆરામ થી જીવનારને આવું ચાલવું પડે તો જરા જેવું લાગે. દરિદ્ર જેવો પરાભવ નથી. બીજા ભય ટાળી શકાય. બુદ્ધિ, જ્ઞાન હોય પણ પૈસો ન હોય તો ? સર્વત્ર પરાભવ પામે. મરણ જેવો ભય નથી, દેવ હોય કે મનુષ્ય જન્મ થયો તેનું મરણ છે જ. છતાં સર્વને મરણનો ભય છે. નારક ના જીવ પણ મરવાને ઇચ્છતા નથી. ‘ખુહાસમા વેયણા નત્યિ’ ભૂખ સમાન વેદના નથી. ભલભલાને ઢીલા કરી દે છે. ક્ષુધા-તૃષા જીવલેણ પણ થાય છે. મુનિને ભૂખ્યા રહેવું તે ક્ષુધા પરિષહ નહીં પણ ભૂખ લાગ્યા પછી સંયમની મર્યાદા તૂટે નહીં, અનેષણીય ન હોય એવું ગવેષણા કરીને, ફરીને લાવે. પછી સ્વાધ્યાય કરવા બેસે. તે ક્ષુધા સહી કહેવાય. ક્ષુધાથી આતુરતા થાય, એથી સંયમ ન જળવાય. પરંતુ સાધુ સમભાવ પૂર્વક પ્રાસુકની ગવેષણા કરે. પ્રશ્ન : ક્ષુધાને પરિષહ કેમ કહ્યો ? ઉત્તર : આહારની લાલસા, મોહનીયના ઉદયથી થાય છે; તેને અટકાવે, વાચના-૪૭ Jain Education International For Private & Personal Use Only ૧૦૪ www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy