SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પુનઃ પૂજ્યશ્રીના અક્ષર દેહે દર્શન થતાં હૈયું પુલકિત બની ગયું. સાધુ જીવનને ઉપકારક આવી હિતશિક્ષા ગ્રહણ કરવા જેવી છે. સદા માટે એ માર્ગે આગલ ધપવા જેવું છે. ‘નવકારશી' જ્યારથી પ્રવેશી ત્યારથી તો 'એમાં = મોચળ' ભૂલાઇ ગયું. સાથે એની જ પળોજણમાં ઘણો સમય બરબાદ થઇ રહ્યો છે. સૂત્રપોરસિ અને અર્થ પોરસિની મહત્તા ચાલી ગઇ. સ્વાધ્યાયમય સાધુજીવનસ્વાદુજીવન ન બની જાય એની સાવધાની આપણે જ રાખવી પડશે. શૈક્ષનું ઘડતર ગચ્છમાં સુંદર થાય અને સંયમ નવપલ્લવિત બને એજ શાસન પ્રભાવનાનું મુખ્ય અંગ છે. મુખ્ય અંગનો વિચ્છેદ થશે તો સાધુપણું ટકશે કેવી રીતે એ યક્ષપ્રશ્ન આપણી સામે આવીને ઉભો છે. વાણી અને વર્તન સુધારવા માટે આ ‘યતિદિનચર્યા’નું મનન અતિ ઉપયોગી નીવડશે. શાસન પ્રભાવક આ. શ્રી હેમચંદ્રસાગરજી મ. મારા ઉપર ભાગ-૨નાં પ્રૂફો મોકલી–મને આ સત્શાસ્ત્રના વાંચનની ઉત્તમ ક્ષણ અર્પણ કરી છે. મુનિશ્રી નયચંદ્રસાગરજી મ.ના પણ પરિશ્રમને બિરદાવું છું. અક્ષર દેહે બીરાજમાન પૂજ્યશ્રીની વાણીને આ રીતે પ્રચાર-પ્રસાર થાય અને સાધુ-સાધ્વીજી મ.ના જીવન ઘડતરમાં આ ગ્રંથો અતિ ઉપયોગી નીવડે એજ આ પૂજ્યશ્રીની સુવાચ્ય અને સુપાચ્ય વચન શૈલી-શૈલેશી સુધી પહોંયવાનું સામર્થ્ય સમર્પે તેવી છે. આ વાણીના પાણીને આરોગવું એ ભાવ આરોગ્ય માટેનું ઔષધ છે. I રાજેન્દ્રસૂરિ-અચલગઢ ૨૦૫૯, ચૈ.શુ. ૧, બુધ, તા. ૧-૫-૦૩ LAS SEE FO ein Edonate bis ball he fissions The g VIII
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy