SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ - ‘આરાધના એ સમાચારીનો વિષય છે. શાસ્ત્રમાં વિહિત કે અવિહિત હોય. પણ જીતવ્યવહાર પ્રમાણે સમાચારીનું પાલન અતિ આવશ્યક છે. બધી જગ્યાએ ‘શાસ્ત્ર પાઠ’ ક્યાં છે એવાત લક્ષ્યમાં રાખીએનો વ્યવહારનું પાલન અશક્ય નહિ, દુર્લભ બની જાય છે. સમાચારોમાં સજાગ રહેવું એ આપણું પરમકર્તવ્ય છે. પૂ. પંન્યાસજી મ. યતિદિન ચર્યાના માધ્યમ દ્વારા ઘણી ઘણી વાતોને સ્ફટ કરી છે. માત્ર જ્ઞાની વૃદ્ધિ માટે આ વાતો વાંચવા વિચારવાની નથી. આચાર પાલનની દેટતા માટે આ બધું અતિ ઉપયોગી છે. કી - જેમ જેમ આ પ્રકાશનનું વાંચન થાય છે તેમ જીવનમાં પ્રકાશ પ્રકટે - છે. આચાર પાલનની સ્થિરતા ઉભી થાય છે. = પ્રતિક્રમણ પડિલેહણ, પચ્ચખાણ વગેરે વાતોને પૂજ્ય પંન્યાસજી - મહારાજ જે રીતે ફુટ કરી છે તે ખરેખર ! અદ્ભુત છે. સાધુ - સમાચારીના ઘણા ગ્રંથોનું દોહન, ગુરૂગમ અને સ્વયં સમાચારીનું - શુદ્ધ પાલન...એ બધી વાતો આ ગ્રંથમાં ગુંથાયેલ છે. - સાધુનું જીવન અપ્રમત્ત દશામાં વ્યતીત થાય તો સાચી સાધના થઇ શકે છે. પ્રમાદમાં પ્રમોદ માનનાર, આળસમાં લળી જઇ પાછળ | ધસી જનાર-શિવધામમાં ક્યારેય વસી શકતો નથી. વર્તમાનના વહેણ જુદી દિશામાં વહી રહ્યાં છે. આવશ્યકાદિ દિશાઓમાં લગભગ સંમૂચ્છિમ જેવી ક્રિયાઓ થઇ ગઇ છે. સાધુતાનું લક્ષ્ય ચૂકાઇ ગયું છે. ઉપયોગ શૂન્યતાએ શુદ્ધતાનું નિકંદન કાઢી નાખ્યું છે. “માંડી ક્રિયા અવગણેજી, બીજે ઠામ હર્ષ” આવું આવું ઘણું બની ગયું છે. ઉપયોગ શૂન્ય જીવન-સાધનાનાં શિખરસર કરાવી શકે નહિ... યતિદિન ચર્યાના માધ્યમ થી પૂજ્યશ્રીએ હિતશિક્ષા પાઠવી છે તે અદ્ભુત છે અને આચરવા યોગ્ય છે. પૂજ્ય પંન્યાસજી મહારાજના સહવાસનું સૌભાગ્ય સાંપડેલું...તેઓશ્રીની ગુણગરિમા જોઇ સદા માટે અંતર આનંદથી નાચી ઉઠતું વર્તમાનમાં આવા ઉત્તમ સાધકોનાં દર્શન દુર્લભ થઇ ગયાં છે. VII Ike & Rersonen in E leme
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy