SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ જુદા પાયા પર જુદા-જુદા બોલ ન બોલે એટલો ફેર પડવો. શરીરના પડિલેહણના ૨૫ બોલ સ્ત્રી-પુરુષ બધાને પણ મુખ ખભા તથા છાતીના ૧૦ બોલ સ્ત્રીને નથી. અને ખભા તથા છાતીના ૭ બોલ સાધ્વી મ. ને નથી શ્રાવક-શ્રાવિકાને પણ સાધુ-સાધ્વીની જેમ પડિલેહણ હોય. પડિલેહણની શરૂઆત કરતાં કેટલીક બાબતોનો ખ્યાલ રાખવો. ૧) પડિલેહણ કરતાં પહેલાં તમામ ઉપધિ ભેગી કરવી. ૨) ચાલુ પડિલેહણમાં જરા પણ આવા પાછા થવું નહિ. ૩) પ્રતિક્રમણની જેમ પડિલેહણની માંડલી હોય છે. તેમાં આવી પાંચ વાના કરી, આદેશ લઈ સ્વસ્થાને જવું. ત્યાં ઉપધિનું પડિલેહણ કરવું. ૪) પડિલેહણમાં અજયણા ન થાય તેની કાળજી રાખવી વિશેષ આ કલમો એ પુસ્તક “મુક્તિના પંથે, ‘શ્રમણ ધર્મ જ્યોત) માંથી જોઇ લેવી. જઘન્યથી સવારે મુહપત્તિ તથા ઓવાનું પડિલેહણ કરે. નિષેધીયું, ઓધારિય તથા પાટો-ત્રણેય ઓઘારિયા જ કહેવાય-પછી કટિસૂત્ર (કંદોરો). પૂર્વે આસન તરીકે ઓધારિયું વાપરતાં હાલ જતકલ્પમાં વિવેક-બહુમાન ન જળવાય; માટે ઓધારિયાં ઉપર બે દોરી બાંધવાની કહી છે; તેથી આસન કંદોરો ચોલપટ્ટાનું પડિલેહણ કરે, પછી આદેશ માગી બીજું પડિલેહણ કરે. કાજો લીધા પછી ઇરિયાવહિયા નહીં, પણ પરઠવ્યાના ઇરિયાવહિયા હોય. તેથી કાજો પરઠવ્યા પછી ઇરિયાવહિયા કરવા. મોહનીયકર્મ નિવારણની પૂજામાં છે કે કાજો એ જયણાનું સાધન છે. “મને. લાભ મળ્યો’ એમ ભાવના ભાવતાં-ભાવતાં મુનિને અવધિજ્ઞાન થયું. પહેલા દેવલોકમાં ઇન્દ્રાણીને સમજાવતા ઇન્દ્રને જુવે છે. કાજો લીધા પછીના ઇરિયાવહિયાના કાઉસગમાં આ દ્રશ્યને જોઇને મુનિ હસી પડ્યા. તેથી અવધિજ્ઞાન ચાલ્યું ગયું. પ્રાપ્ત થયેલું અવધિજ્ઞાન હાસ્ય મોહનીયના ઉદયે ચાલી ગયું. કાજાની ક્રિયામાં તાકાત છે કે અવધિજ્ઞાન અપાવે. તેમાં અધ્યવસાયની શુદ્ધિ ભળે તો કેવળજ્ઞાન પણ અપાવી શકે. જયણા પૂર્વક લેવાતા કાજામાં નીચેની બાબતો ખાસ જાળવવી. * * * * * * * * * છે વાચન-૪૬ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy