SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ એ ગુપ્તા'. એમ ૩-૩ બોલ બોલવા આમ ૧૩ બોલ દ્વારા મુહપત્તિથી દરેક (પાંચેય) સ્થાપનાચાર્યનું પડિલેહણ કરે. સ્થપાનાચાર્યનું પડિલેહણ કાંબળ ઉપર કરવું. સ્થાપનાજીને ઉપાડીને પડિલેહણ કરવું એ ગીતાર્થોનો મત ઓછો છે. માટે સ્થાપનાચાર્યને પાટલી ઉપર રાખીને જ પડિલેહણ કરવું. પાટલી પણ ઉપરથી પડિલેહવી ! પૂર્વે ભૂતકાળમાં પાટલી ન હતી પાછળથી જીતકલ્પમાં ઉમેરાઈ છે. બધા આવર્તે ડાબા હાથે રાખવાથી આપણી સામે સ્થાપનાજી આવે, સ્થાપના કલ્પની સઝાયમાં ૧, ૩, ૫, ૭ વિગેરે આવર્ત કહ્યા છે. ૩ આવર્ત સામાન્ય સાધુ માટે હોય. ૫ આવર્ત પદસ્થ માટે હોય. ૭ આવર્ત આચાર્યને હોય. એમ ગીતાર્થોનો મત છે. એની નીચેના ભાગમાં લાલ, શ્યામ ને કથ્થાઇબિંદુ જોઇએ. વળી કીડાએ ખાધેલ ન હોય તેમ પ૭ લક્ષણોથી યુક્ત સ્થાયનાચાર્યજી જોઇએ. ઓવાની પડિલેહણની પદ્ધતિ સમજવા લાયક છે. ચાલુ ક્રિયામાં એ શરીરથી દૂર મૂકવાથી ઇરિયાવહિયા જાય માટે પડિલેહણ કરતાં ઓઘો ખોલી દોરી કાને, ઓધારિયું ડાભા ખભે, નિષેથિયું જમણા ખભે, મૂકે. દાંડી બગલમાં અથવા બે પગની વચ્ચે મૂકે, નીચે તો ન જ મૂકાય. સવારે પ્રથમ નિષેથિયું પડિલેહે બપોરે પ્રથમ ઓધારિયું પડિલેહે. પાટો મુહપત્તિથી પલેવે. “પરિહરું' માં મુહપત્તિવાળો હાથ નીચે લઇ જાય. આદરે માં હાથ ઉપર લાવે. સવારે ઓવા-પડિલેહણનો ક્રમ: પ્રથમ સુતરાઉ નિષેથિયું, ઓઘારિયું, ઉપરની દોરી, દાંડી, પાટો, નીચેની દોરી, દશીની પ્રમાર્જના. બપોરે ઓઘા પડિલેહણનો ક્રમ : ઓઘારિયું, નિષેથિયું, દાંડી ઉપરની દોરી, પાટો, નીચેની દોરી, દશીની પ્રમાર્જના. - સવારે પડિલહેણમાં પાંચ વાનામાં બીજા નંબરે ઓઘાનું પડિલેહણ ખોલીને કરવું. સાંજે પાંચ વાનામાં ઓધાનું પડિલેહણ ઉપરથી કરી બધું જ પડિલેહણ થઇ ગયા પછી છેલ્લે, ઓઘો ખોલીને પડિલેહણ કરવું. સર્વ અંગોનો સમૂહ મળી ઓઘો બને છે. છૂટા ઓવાથી અન્ય ક્રિયા ન જ વાચના-૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004823
Book TitleYatidincharya Vachna 2
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy