SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ દેવસિઆએ આસાયણાએ, તિરસન્નયારાએ, દિવસ સંબંધી થયેલી આશાતનાઓ તેત્રીશમાંથી કોઈપણ, — — — — — — — — — — — — * ગુરુ મહારાજ સંબંધી તેત્રીશ આશાતના અવશ્ય વર્જવી જોઈએ તે આ પ્રમાણે ૧-૯ ગુરુ મહારાજનો ૧ આગળ ૨ પડખે (બંને પાસે) તેમજ ૩ અત્યંત નજીક અડકીને ૧ ચાલતાં – ૨ ઊભા રહેતાં અને ૩ બેસતાં આશાતના લાગે છે. પરંતુ જો ખાસ અગત્યના કારણસર તેમ કરવું પડે તો આશયશુદ્ધિથી અને અધિક લાભના કારણથી આશાતના દોષ ગણાતો નથી. એમ દરેકના ત્રણ ત્રણ ભેદ કરતાં તેના ૯ ભેદ થઈ શકે છે. ૧૦ ગુરુ મહારાજ પહેલાં ભોજન વખતે ચલુ કરી લેવાથી કે આચમન લેવાથી દોષ લાગે. ૧૧ બહારથી ગુરુ સાથે આવ્યા છતાં જો ગુરુ મહારાજ થકી પહેલાં ગમણાગમણે આલોવે એટલે ‘ઇરિયાવહી પડિક્કમે તો ગુરુનો અનાદર વિનયભંગ કરવારૂપ દોષ લાગે. ૧૨ રાત્રિએ સંથારો કર્યા બાદ ગુરુ મહારાજ કંઈ પૂછે કે બોલાવે ત્યારે સાંભળ્યું નહિ સાંભળ્યું કરી કશો ઉત્તર નહિ આપતાં કેવળ મૌન જ ધારી રહે તે આશાતના લાગે. ૧૩ ગુરુ પાસે આવેલા કોઈ ગૃહસ્થાદિકને વશ કરી લેવા ગુરુ મહારાજ તેમને બોલાવે તે પહેલાં પોતે બોલાવી લે તો ગુરુ-આશાતના લાગે. ૧૪ ભિક્ષાવૃત્તિથી આણેલાં આહારપાણી પ્રમુખ ગુરુ મહારાજ પાસે જ પ્રથમ હાજર કરી દેવા જોઈએ અને ગોચરી પણ ત્યાંજ આલોવવી જોઈએ, તેને બદલે તેમ નહિ કરતાં, તે સંબંધે ઇચ્છા મુજબ વર્તતાં એટલે ગુરુ પહેલાં ઉતાવળ કરી આવેલી ગોચરી કોઈ સાધુ જોઈ લે તેમજ ૧૫ ગુરુ પહેલાં બીજાને બતાવી દે તો દોષ લાગે. ૧૬ આવેલાં આહાર પાણી વાપરવા બીજાને નિમંત્રણ કરીને પછી ગુરુ મહારાજને નિમંત્રણ કરે તો તેથી અનાદરદોષ લાગે. ૧૭ ખાઘ મધુર પદાર્થ ભિક્ષામાં આવેલો જાણી આપઇચ્છાએ ગુરુને પૂછયા વગર પોતે ગમે તેને આપી દે, તો આશાતના લાગે. ૧૮ સરસ સ્નિગ્ધ પદાર્થ આવેલો હોય તો તે ગુર્નાદિકને નહિ આપતાં પોતે જ આરોગી જાય તો ગુરુ-આશાતના લાગે. ૧૯ ગુરુ મહારાજ સાદકરી બોલાવે ત્યારે બહેરાની જેમ કશો પણ ઉત્તર પાછો ન આપે, શૂન્યવત્ બેસી રહે તો દોષ લાગે. ૨૦ જયારે કોઈ વડિલ સાધુ સાદ કરે ત્યારે સામા થઈ જેમ આવે તેમ બોલે - આ મારી કેડે લાગ્યા છે, મને જ દેખ્યો છે, આમની સાથે ક્યાંથી પનારે પડ્યા, ઇત્યાદિક કટુ ભાષણ કરતાં દોષ લાગે. ૨૧ ગુરુ પાસે જઈ નમ્રપણે જવાબ દેવાને બદલે પોતાના આસને બેઠા બેઠા ઉત્તર આપવાથી ગુરુ-આશાતના લાગે. ૨૨ શું કહો છો? શું છે? કહોને? ઇત્યાદિક વિનયરહિત ભાષણ ગુર સાથે કરતાં આશાતના લાગે. ૨૩ કંઈ કામ કરવા ગુરુ મહારાજ શિષ્યને બોલાવે ત્યારે તોછડાઈ ભરેલી રીતે બોલે કે તમે જ કરોને? મને શા માટે કહો છો? – આમ તુંકારાદિ દેતાં ગુર-આશાતના લાગે. ૨૪ વાહ ! અમને જ દીઠા છે ને ! તમે જાતે કેમ કરતા નથી ? અથવા બીજા શિષ્યને કરવા કેમ કહેતા નથી ? એમ ગુરુ મહારાજની તર્જના કરતાં ગુરુ-આશાતના લાગે. ૨૫ ગુર્નાદિક વડિલ સાધુઓને વ્યાખ્યાન પ્રમુખ કરતાં દેખી શિષ્ય દુમણો થાય પણ પ્રમુદિત ન થાય તો ગુરુ આશાતના લાગે અથવા ગુવદિક વડિલનો કોઈ રાગી હોય તેને દેખી દુમણો થાય તો તેથી પણ ગુરુ-આશાતના લાગે. ૨૬ ગુરુ મહારાજ વ્યાખ્યાનાદિક કરતા હોય ત્યારે “એ તમે ભૂલી ગયા છો, આ વાત તમને યાદ નથી, એનો અર્થ એ ન હોય' ઇત્યાદિક અનુચિત વચન બોલતાં ગુરુ-આશાતના લાગે. ૨૭ અથવા એ બાબત હું તમને પછી સારી રીતે સમજાવીશ એમ આપડહાપણ બતાવવા સભા સમક્ષ બોલી, ચાલતી કથાનો ભંગ કરે તો તેથી ગુરૂઆશાતના લાગે. ૨૮ અથવા એવે અવસરે આવીને શિષ્ય કહે કે “મહારાજ ! પોરસીવેળા કે આહારવેળા થઈ ગઈ SURURURURULURURUL8RXRURURURULURUODURVISA દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? પપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy