SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯) શ્રી સુગર વાંદણાં (દ્વાદશાવર્ત ગુરુ વંદના) સૂત્રો (પદ-૫૮, ગુરુ અક્ષર-૨૫, લઘુ અક્ષર-૨૦૧, સર્વ અક્ષર૨૨૬) ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ હું ઇચ્છું છું હે ક્ષમાશ્રમણ ! વંદન કરવા માટે શક્તિ સહિત, પાપ-વ્યાપારનો ત્યાગ કરીને. (અહીં ગુરુ છંદેણ કહે એટલે ઇચ્છા વડે (કે તું વંદના કરે) અણુજાણહ, મે મિઉષ્મહં નિશીહિ રા. આજ્ઞા આપો મને મિત અવગ્રહ (સાડા ત્રણ હાથ પ્રમાણ ક્ષેત્ર) પાપવ્યાપારનો ત્યાગ. (અહીં ગુરુ અણજાણામિ કહે એટલે આજ્ઞા આપું છું કે મારા અવગ્રહમાં પ્રવેશ કર.) શબ્દાર્થ - અણજાણહ-આજ્ઞા આપો, મે-મને, મિઉગહ-મિત અવગ્રહ (સાડા ત્રણ હાથ પ્રમાણવાળા ક્ષેત્રોમાં પ્રવેશ કરવાને, નિસાહિ-ગુરુવંદન સિવાય બીજો વ્યાપાર જેણે નિષેધ્યો. અર્થ - હે ક્ષમાશ્રમણ ! તપસ્વી ! મને આજ્ઞા આપો કે શક્તિ સહિત પાપવ્યાપારનો ત્યાગ કરવાપૂર્વક મિત અવગ્રહમાં પ્રવેશ કરીને વંદન કરવા માટે હું ઇચ્છું છું. * * આ વાંદણાં દેતાં પચ્ચીશ આવશ્યક સાચવવા જોઈએ તે ન સાચવે તો વંદન કરનાર પણ નિર્જરાફળ પામે નહિ. તે આવશ્યક આ પ્રમાણે – ઇચ્છામિ ખમાસમણો.' પ્રમુખ “અણજાણહ પર્યત બોલતાં પોતાનું અધું શરીર નમાડી દેવામાં આવે તે પ્રથમ અવનત અને ફરી બીજી વાર પણ તેમજ કરતાં બીજો અવનત જાણવો. જન્મ થતી વખતે અથવા દીક્ષાયોગ આદરતી વખતે જેવી મુદ્રા હોય, તેવી નમ્ર મુદ્રા (બે હાથ જોડી લલાટે લગાડવારૂપ) વંદન કરતી વખતે ધારણ કરવી તે યથાજાત જાણવું. “અહો, કાય, કાયરૂપ ત્રણ અને જતા , જવણિજં ચ ભે' રૂપ બીજા ત્રણ એમ છ એક વખતના વંદનમાં અને તે છે બીજી વખતના વંદનમાં મળી ૧૨ આવર્ત (ગુરુચરણે હાથનાં તળી લગાડી પછી તેમજ ખામેમિ કહેતાં તે પોતાના લલાટે લગાડવારૂપ) થાય છે. “કાય સંફાસ' કહેતા ફરી સ્વમસ્તક નમાવવું, બીજી વાર મસ્તક નમાવવું. એમ બે વંદનનાં મળી ચાર વખત શિરનમન થાય છે. મન વચન અને કાયાને અન્ય વ્યાપારથી નિવર્તાવી વંદન કરતી વખતે સારી રીતે ગોપવી રાખવારૂપ ત્રણ ગુપ્તિ જાણવી. અણજાણહ મે મિઉગઈ' કહી બંને વખત વંદન કરતાં ગુરુ આજ્ઞા પામીને અવગ્રહમાં પ્રવેશ કરવો તે બે પ્રવેશ જાણવા અને પ્રથમ વંદન કરતી વખતે આવસ્સિએ” કહીને અવગ્રહમાંથી બહાર નીકળવું તે એક નિષ્ક્રમણ સમજવું. એવી રીતે દ્વાદશાવર્ત વંદન કરતી વખતે પચ્ચીશ આવશ્યક સાચવવા જ જોઈએ. SARRUAVAVARRACASARURURLAUAKIVARRUKARRA હજ પ્રતિમાને ભાવ પ્રતિક્રમણ કેવી રીતે બનાવશો ? ૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy