SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિન્દુવણે કાળ, વિનય, બહુમાન, ઉપધાન તથા ન છૂપાવવું, વંજણ-અત્થ-તદુભએ, અટ્ટવિહો નાણમાચારો શા શુદ્ધ ઉચ્ચાર, અર્થ અને તે બંને, એમ આઠ પ્રકારે જ્ઞાનનો આચાર છે. શબ્દાર્થ - કાલે-જે કાળે ભણવાની આજ્ઞા હોય તે કાળે ભણવું, તે કાળ આચાર, વિણએ-જ્ઞાનીનો વિનય કરવો તે વિનય આચાર, બહુમાણે-જ્ઞાની ઉપર અંતરંગ પ્રેમ, ઉવહાણે-સૂત્રો ભણવાને તપ વિશેષ કરવો તે ઉપધાન આચાર, તહતથા અનિન્દવર્ણ-ભણાવનાર ગુરુને ન ઓળવવા (છૂપાવવા) તે અનિન્યવણ આચાર, વંજણ-સૂત્રના અક્ષરનો શદ્ધ ઉચ્ચાર કરવો તે વ્યંજનાચાર, અત્ય-સૂત્રનો અર્થ બરાબર કરવો તે અર્થ-આચાર, તદુભએ-સૂત્ર અર્થ બંને શુદ્ધ ભણવા તે તદુભય આચાર, અવિહો-આઠ પ્રકારનો, નાણમાયારો-જ્ઞાનાચાર કહેલો છે. અર્થ - કાળમાં ભણવું, જ્ઞાનીનો વિનય કરવો, જ્ઞાની ઉપર અંતરંગ પ્રેમ તે બહુમાન, સૂત્રો ભણવા માટે તપ વિશેષ કરવો તે ઉપધાન, તેમ જ ગુરુને છૂપાવવા નહિ, સૂત્રના અક્ષરનો શુદ્ધ ઉચ્ચાર કરવો તે વ્યંજન સૂત્ર), સાચો અર્થ કરવો તે અર્થ તથા બંને શુદ્ધ ભણવા તે તદુભય એમ આઠ પ્રકારે જ્ઞાનનો આચાર છે. નિસંકિઆ નિર્કખિસ, નિબ્રિતિગિચ્છા અમૂઢદિટ્ટી અT નિઃશંકિત થવું, નિઃકાંક્ષિત થવું, દુગંછા ન કરવી, વ્યામોહદષ્ટિ ન થવી, ઉલવૂહ થિરીકરણે, વચ્છલ પભાવણે અટ્ટ Il3II ઉપબૃહણા, સ્થિર કરવું, વાત્સલ્ય કરવું, પ્રભાવના કરવી એ આઠ. શબ્દાર્થ - નિસ્સકિઅ-વીતરાગના વચનમાં શંકા ન કરવી, નિષ્ક્રખિજિનમત વિના અન્ય મતની ઈચ્છા ન કરવી, નિબ્રિતિગિચ્છા-દુગંછા ન કરવી, અમૂઢદિટ્ટી-મિથ્યાત્વીના ચમત્કાર દેખી તેનાથી વ્યામોહિત ન તવું, ઉવવૂહસમકિતધારીના અલ્પ ગુણની પણ પ્રશંસા કરવી, થિરીકરણે-જિન ધર્મ પામેલાને તેમાં સ્થિર કરવા, વચ્છલ્લ-સાધર્મિક વાત્સલ્ય કરવું, પભાવણે-જૈન શાસનની પ્રભાવના કરવી, અટ્ટ-આ આઠ લક્ષણો દર્શનાચારનાં છે. અર્થ - વીતરાગના વચનમાં શંકા ન કરવી તે નિઃશંકિત, જિનમત વિના * કાળવેળા સિવાય તેમ જ અસજઝાય સિવાયના કાળમાં ભણવું. કાળવેલા-ચાર પ્રકારે છે. સૂર્યોદય પહેલાં ૪૮ મિનિટ, મધ્યાહ્નની આગળ પાછળ ૨૪ મિનિટ, સૂર્યાસ્ત પછી ૪૮ મિનિટ અને મધ્યરાત્રિની આગળ પાછળ ૨૪ મિનિટ. અજઝાય કાળને આશ્રયીને – ત્રણ ચોમાસામાં કા.સુ. ૧૪, ફા.સુ. ૧૪, અષાઢ સુ. ૧૪ના મધ્યાહ્નથી ક.વ. ૨, ફા.વ.ર અને અષાઢ વ.રના સૂર્યોદય સુધી. તેમજ ચૈત્ર સુદી-૫ તેમજ આસો સુદ-૫ના મધ્યાહથી ચૈત્ર વદ-૨ તેમજ આસો વદ-૨ના સૂર્યોદય સુધી. SAURERRURORURACAKAPASRURX282AURORXARAVA તબ પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? ૪૯ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy