SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પંચ પ્રતિક્રમણના હેતુઓ (દેવસિઅ પ્રતિક્રમણના હેતુઓ (કારણો) ) દેવસિઅ પ્રતિક્રમણ સાંજે કરવામાં આવે છે. તે (૧) ઉપાશ્રય અને (૨) ગુરુનિશ્રામાં કરવું જોઈએ. સૌથી પહેલાં ઉપાશ્રયાદિને જયણાપૂર્વક પૂજીને ગુરુ સાક્ષીએ પ્રતિક્રમણ કરવું. • ગુરુના અભાવે સ્થાપનાચાર્યની સાક્ષીએ કરવું. પ્રશ્ન-૧ : ગુરુ પાસે પ્રતિક્રમણ કરવાનું કારણ શું ? જવાબ : ગુરુ પાસે કરવાથી અનુષ્ઠાન વિંધુ દૃઢ થાય છે અને જગતમાં સસાક્ષિક વ્યવહાર નિશ્ચલ ગણાય છે. આજે ન્યાયાલયોમાં પણ સાક્ષીથી સિદ્ધિ થાય છે. પ્રશ્ન-૨ : પ્રતિક્રમણ શબ્દ શેને માટે રૂઢ (વપરાયેલો) છે ? જવાબ : પ્રતિક્રમણ શબ્દ એ છ આવશ્યક માટે વપરાયેલો છે. (શ્રાવકે દરરોજ છે આવશ્યક કરવા જોઈએ.) • શ્રાવકના ૩૬ કર્તવ્યોમાં લખ્યું છે કે (છબ્રેિટું માવયંમ ૩ળ્યુત્તો દોડ઼ પવિત્ત) શ્રાવક હંમેશાં છ આવશ્યકમાં ઉદ્યમશીલ હોય છે. આ છમાંથી ૪થું આવશ્યક પ્રતિક્રમણ છે. પરંતુ આમ છનું ભેગું નામ પ્રતિક્રમણ છે. પ્રશ્ન-૩ : પ્રતિક્રમણ કરવાનું કારણ શું છે ? જવાબ : પંચાચાર (જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર)ની શુદ્ધિ માટે છે. પ્રશ્ન-૪ : પ્રતિક્રમણમાં છ આવશ્યકના કયા સૂત્ર વડે કયા આચારની શુદ્ધિ થાય છે ? જવાબ : (૧) સામાયિકથી ચારિત્રાચારની (૨) ચઉવિસત્થો (લોગસ્સોથી દર્શનાચારની (૩) વાંદણાથી જ્ઞાનાદિઆચારની (૪) પ્રતિક્રમણ (વંદિતુ)થી જ્ઞાનાદિ આચારના અતિચારની (પ) કાઉસ્સગ્ગથી પ્રતિક્રમણમાં (વંદિત્તામાં) બાકી રહી ગયેલ અતિચારની અને (૬) પચ્ચકખાણથી તપાચારની શુદ્ધિ થાય છે અને આ છએ વડે વર્યાચારની શુદ્ધિ થાય છે. • પ્રતિક્રમણ યથાકાલે (સમયસર) કરવું જોઈએ . પ્રશ્ન-૫ : પ્રતિક્રમણનો કાળ (સમય) ઉત્સર્ગ અને અપવાદથી શું છે ? જવાબ : ઉત્સર્ગથી. દેવસી પ્રતિક્રમણનો કાળ - સૂર્ય અર્ધો ડૂબે ત્યારે વંદિત્ત આવવું જોઇએ. સૂર્યાસ્તથી ૨૦થી ૨૨ મિનિટ પહેલાં સાંજનું પ્રતિક્રમણ ચાલુ કરવું) તથા રાઈ પ્રતિક્રમણ - સૂર્યોદયે પુરું થાય તે રીતે ચાલુ કરવું. હવે • અપવાદથી (કારણથી) સાંજનાં પ્રતિક્રમણ (દવસી)નો સમય - મધ્યાહ્નથી મધ્ય રાત્રિ સુધી અને સવારના પ્રતિક્રમણ (રાઈ)નો સમય - અડધી રાતથી બપોર સુધી. • નોંધ : અપવાદમાર્ગ - ખરેખરા કારણથી જ સેવાય છે. • હવે ઉપર કહેલા ટાઈમે શુદ્ધ કપડાં પહેરી પ્રતિક્રમણ કરવું. • સૌથી પહેલા સામાયિક લેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy