SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ નિશ્ચયનય મુજબની આત્મામાં લીન બનવાની વાતને અપનાવે છે તે તળાવને તરવા માટે અસમર્થ એવો તે દરિયો તરવાની ઇચ્છા કરનાર જેવો મહામૂર્ખ છે. વ્યવહારનું પાચન તે જ નિશ્ચયમાં લીન બનવાની ભૂમિકા છે. શાસ્ત્રોમાં ધર્મક્રિયા બે રીતની છે. (૧) દ્રવ્યક્રિયા અને (૨) ભાવક્રિયા. (અમૃતક્રિયા) તે ક્રિયાઓ કહેલી મુદ્રા પ્રમાણે તથા જે ચાલતી ક્રિયાના સૂત્રોના તે જ અર્થના ઉપયોગપૂર્વક તથા પ્રણિધાનાદિપૂર્વક કરવામાં આવે તો તે ધર્મક્રિયાને ભાવક્રિયા કહી છે. ભાવક્રિયા અતિ ઉત્તમ છે. તત્કાળ ફળપ્રાપ્તિ કરાવે છે. પ્રણિધાન આદિ વિનાની અને ઉપયોગાદિ વિનાની ધર્મક્રિયા “જુવો બં” (ઉપયોગ ન હોવાથી દ્રવ્ય) વચનથી દ્રવ્યક્રિયા બને છે, માટે જ્ઞાનીઓએ કહ્યું છે કે “રૂપોને ધ” = ક્રિયાઓમાં ઉપયોગ રાખવાથી ધર્મ થાય છે. અને તેથી ઉપયોગથી દ્રવ્યક્રિયાઓ - ભાવક્રિયા બને છે. એમ સાર છે. દ્રવ્યક્રિયાને ભારક્રિયા બનાવવા માટે અર્થ જાણીને સૂત્ર બોલતી વખતે અર્થ બરાબર ઉપસ્થિત થાય તે રીતે પ્રતિક્રમણ કરવું જોઈએ. વળી ઘણીવાર આરાધકોની એવી બૂમ આવે છે કે ઉપયોગ એક ધાર્યો જળવાતો નથી, તો તે ઉપયોગનું સાતત્ય જળવાય, તે માટે પ્રતિક્રમણ સૂત્રના હેતુઓ છે તથા બીજી ક્રિયાના સૂત્રના ક્રમનો હેતુ શું છે તે જણાવ્યા (બતાવ્યા) છે તેથી ઉપયોગ સતત જળવાઈ રહે તેમજ એક પછી બીજી ક્રિયાનું અનુસંધાન પણ જળવાઈ રહે. શ્રી જયચંદ્ર ગણિ મહારાજા વિરચિત “પ્રતિક્રમણ હેતુ ગર્ભ” નામના ગ્રંથમાંથી તેના સારરૂપે મુદ્દાઓ અહી આપ્યા છે જે ઉપયોગપૂર્વક ભાવક્રિયા કરવામાં ઉપયોગી થશે. – સંપાદક સંદર્ભ ગ્રંથ સૂચિ અ.નં. પુસ્તકનું નામ લેખકનું નામ ૧ શ્રી પંચ પ્રતિક્રમણ સૂત્ર વિવેચન સહિત પંડિત શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ ભાવ પ્રતિક્રમણનું તાળું ખોલો સંપાદક પૂ. દિવ્યકીર્તિ વિ.જી.મ.સા.ના શિષ્ય મુનિશ્રી પુણ્યકીર્તિવિજયજી મ.સા. સાથે શ્રી આવશ્યક સૂત્રો પૂ.આ.શ્રી ચંદ્રગુપ્ત સૂરિશ્વરજી મ.સા. સૂત્ર સંવેદનો સંકલન : સાધ્વીજી શ્રી પ્રશમિતાશ્રીજી શ્રી ભદ્રંકર જિનગુણ સ્તવનાવલી સંપાદક : મુનિશ્રી તત્ત્વપ્રભ વિ.જી.મ.સા. શ્રી ઉપદેશ રહસ્ય પ.પૂ.ઉ.શ્રી યશોવિજયજી મહારાજા શ્રી આવશ્યક સૂત્રની ટિકા પ.પૂ.હરિભદ્રસૂરિશ્વરજી મહારાજા ૮ શ્રી પંચપ્રતિક્રમણ સાથે પ્રકાશક : શ્રી યશોવિજયજી સંસ્કૃત પાઠશાળા, મહેસાણા ઉપરોક્ત ગ્રંથો + ગ્રંથ સર્જકોનો, સંપાદકો આદિનો ઋણ સ્વીકાર કરું છું. - સંપાદક | ન જ જી . ર પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy