SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ આઈગરાણ, તિત્વચરાણ, સયંસંબુદ્ધાણં ચા ધર્મની આદિના કરનારને, તીર્થના સ્થાપનારને, પોતાની મેળે બોધ પામનારને. પુરિસરમાણે, પુરિસસીહાણ, પુરુષને વિષે ઉત્તમને, પુરુષને વિષે સિહ સમાનને, પુરિસવરપુંડરીઆણં, પુરિસવરગંધહન્દીર્ણ - ---- -- - - - ------ આ ચાર અતિશય જન્મથી જ હોય છે, માટે સ્વાભાવિક-સહજાતિશય કહેવાય છે. ૫. યોજન પ્રમાણ સમવસરણમાં મનુષ્ય, દેવ અને તિર્યંચની ક્રોડાકોડી સમાય અને તેમને બાધા થાય નહિ. ૬. ચારે બાજુ પચીશ પચીશ યોજન સુધી પૂર્વોત્પન્ન રોગ ઉપશમે અને નવા રોગ થાય નહિ. ૭. વૈરભાવ જાય. ૮. મરકી થાય નહિ. ૯. અતિવૃષ્ટિ એટલે હદ ઉપરાંત વરસાદ થાય નહિ. ૧૦. અનાવૃષ્ટિ એટલે વરસાદનો અભાવ થાય નહિ. ૧૧. દુર્મિક્ષ એટલે દુકાળ ન પડે. ૧૨. સ્વચક્ર અને પરચક્ર (સ્વરાજય અને પરરાજય)નો ભય ન હોય. ૧૩. ભગવંતની વાણી મનુષ્ય, તિર્યંચ અને દેવતા પોતપોતાની ભાષામાં સમજે. (વાણી પાંત્રીશ ગુણવાળી હોય છે તે ગુણ નવકારની ટીપ્પણીમાં જોવા.) ૧૪. એક યોજન સુધી સરખી રીતે ભગવંતની વાણી સંભળાય. ૧૫. સૂર્યથી બાર ગણા તેજવાળું ભામંડળ પ્રભુની પાછળ મસ્તક પાસે હોય. આ અગિયાર (પ થી ૧૫) અતિશયો કેવળજ્ઞાન થાય ત્યારે ઉત્પન્ન થાય છે. તેથી તે કર્મક્ષયજાતિશય કહેવાય છે. ૬ થી ૧રમાં જણાવેલા રોગાદિક સાત ઉપદ્રવ ભગવંત વિહાર કરે ત્યારે પણ ચાર દિશાએ ફરતા પચીશ પચીશ યોજન સુધી ન હોય, ૧૬. આકાશમાં ધર્મચક્ર હોય ૧૭. બાર જોડી (ચોવીશ) ચામર અણવીંઝયાં વીંઝાય. ૧૮. પાદપીઠ સહિત સ્ફટિક રત્નનું ઉજ્જવળ સિંહાસન હોય. ૧૯. ત્રણ છત્ર (સમવસરણ વખતે દરેક દિશાએ) હોય. ૨૦. રત્નમય ધર્મધ્વજ હોય. (તેને ઇન્દ્રધ્વજ પણ કહે છે.) ૨૧. નવ સુવર્ણ કમળ ઉપર ચાલે. (બે ઉપર પગ મૂકે અને સાત પાછળ રહે, તેમાંથી વારાફરતી બે બે આગળ આવે.). ૨૨. મણિ, સુવર્ણ અને રૂપાના એ રીતે ત્રણ ગઢ હોય. ૨૩. ચાર મુખે કરી ધર્મદેશના દે છે એમ દેખાય. (પૂર્વ દિશાએ ભગવંત બેસે, બાકીની ત્રણ દિશાએ ત્રણ પ્રતિબિંબ વ્યંતરદેવ સ્થાપે.) ૨૪. સ્વશરીરથી બારગણું ઊંચું અશોકવૃક્ષ, છત્ર, ઘંટા (ટોકરીઓ) પતાકા આદિથી યુક્ત હોય. ૨૫. કાંટા અધોમુખ એટલે અવળા થઈ જાય. 888888888XDURRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR ૨૬ દિવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy