SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ (નવકાર ગણી પારું ત્યાં સુધી), મૂઠી સહિત (નવકાર ગણીને પછી મૂઠી ઉઘાડું ત્યાં સુધી. અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ, એ ચારે પ્રકારના આહારનું પચ્ચક્ખાણ કરું છું, તે અજાણતાં, સહસાત્કારે, મોટા લાભને અર્થે અને સર્વ-સમાધિનિમિત્તક ઔષધાદિ કારણ સિવાય ત્યાગ કરું છું. (૭૫) B પોરિસિ સાઢોરિસિનું પચ્ચક્ખાણ. ઉગ્ગએ સુરે, નમુક્કારસહિઅં, પોરિસિં', સાઢપોરિસિં, મુટ્ઠિસહિઅં, પચ્ચક્ખાઈ, ઉગ્ગએ સૂરે, ચલ્વિ ંપિ આહારં, અસણં, પાણં, ખાઈમં, સાઈમેં, અન્નત્થણાભોગેણં સહસાગારેણં, પચ્છન્નકાલેણું ઈંદિસામોહેણં, પસાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણ વોસિરઈ. જાણવા. ૫. પીવા યોગ્ય પદાર્થો તે પાન-કૂવા પ્રમુખનાં પાણી, છાશની આશ, કેરડાં, જવ, કાકડી પ્રમુખનાં ધોયણ અને મદિરા પ્રમુખ જાણવાં. ૬. જે ખાવાથી થોડી તૃપ્તિ થાય તે ખાદિમ-શેકેલાં ધાન્ય, ફળ, મેવા પ્રમુખ જાણવાં. (મિઠાઈને પણ કેટલાક ખાદ્ય તરીકે આમાં ગણે છે.) ૭. સ્વાદ-લહેજત લેવા માટે ખવાય તે અથવા જેના સ્વાદમાં પ્રથમ ખાધેલા આહારાદિનો સ્વાદ લય પામે તે સ્વાદિમ-સૂંઠ, જીરું, અજમા, પીપર, મરી, એલચી, લવિંગ, પ્રમુખ તથા ચૂરણ કે ગોળીમાં નાખેલ, મધ, ગોળ પ્રમુખ અને તંબોલાદિ જાણવાં. ૮. આ આગારમાં કહેલ અન્નત્ય એ પદ બીજા દરેક આગારમાં લાગુ પડે છે, એટલે જે આગારો (છૂટ) કહ્યા તે સિવાયનું મારે પચ્ચક્ખાણ છે. અનાભોગ એટલે વિસ્મરણ અર્થાત્ કાર્ય-વ્યગ્રતાદિક કારણે લીધેલ પચ્ચક્ખાણ અજાણ્યે ભૂલી જવાય અથવા પચ્ચક્ખાણનો વખત પૂરો થયા વિના અથવા થયો હોવા છતાં પાર્યા વિના ખાવા યોગ્ય પદાર્થ ભૂલથી મોઢામાં નખાઈ જાય તો પચ્ચક્ખાણનો ભંગ થાય નહિ, એ માટે આગાર રાખવામાં આવેલ છે. પરંતુ કોઈ વસ્તુ મોઢામાં નાખતા કે નાખ્યા પછી યાદ આવે તો તરત તે વસ્તુ બહાર કાઢી નાખવી. જાણ્યા છતાં ખાય તો પચ્ચક્ખાણનો ભંગ થાય અને અજાણતાં મુખમાં નાખેલ પદાર્થ ખવાઈ ગયા પછી યાદ આવે તો પચ્ચક્ખાણ ભંગ થાય નહિ, પરંતુ ફરીથી ભૂલ ન થાય તેટલા માટે યથાયોગ્ય પ્રાયશ્ચિત લેવું. આ પ્રમાણે સર્વ આગારોમાં સમજી લેવું. ૯. સહસાગારેણં (સ્વભાવે જ) મુખમાં આવી પડે એટલે પચ્ચક્ખાણનો ઉપયોગ હોય છતાં વરસાદના છાંટા કે દહીં મથતાં દહીંનાં છાંટા વગેરે અચાનક મોઢામાં પડે તો પચ્ચક્ખાણ ભંગ થાય નહિ. ૧૦. મોટી નિર્જરાના હેતુભૂત સંઘાદિ કાર્યને માટે વડીલની આજ્ઞાથી પચ્ચક્ખાણનો કાળ થતાં પહેલાં પારે તો ભંગ થાય નહિ. ૧૧. તીવ્ર શૂળાદિ રોગથી વિહ્વળ થયેલ શરીરની સ્વસ્થતા સાચવવા માટે ઔષધ પથ્યાદિ કારણે પચ્ચક્ખાણનો કાળ પૂર્ણ થયા પહેલાં કાંઈ પદાર્થ લે તો પચ્ચક્ખાણ ભંગ થાય નહિ. આવે પ્રસંગે ચિત્તની સ્થિરતાએ પરિણામ ટકે ત્યાં સુધીનો નિયમ સાચવવો, પણ પરિણામ ટકતા ન હોય તો પછી અન્યથા પ્રવૃત્તિ કરતાં દોષ નથી. ૧૨. ગુર્વાદિ પચ્ચક્ખાણ આપતા હોય ત્યારે અહીં વોસિરઈ પદ કહે અને પચ્ચક્ખાણ લેનાર હોય તે વોસિરામિ પદ કહે છે. ૧. પુરુષ પ્રમાણ છાયા જે વખતે હોય તે પોરિસિ અથવા તે છાયાનું માપ આ પ્રમાણે જાણવું - પુરુષે જમણા કાને સૂર્યનું બિંબ રાખીને દક્ષિણાયન (કર્કસંક્રાતિ)ના પહેલે દિવસે ઢીંચણની છાયા જોવી તે બે પગલાં (બાર આંગળનું એક પગલું) છાયા હોય, ત્યારે પોરિસિ જાણવી. તે પછી માસે માસે ચાર ચાર ***RERURURURURURARURRRR દ્રવ્ય પ્રતિષ્ઠમને ભાવ પ્રતિષ્ઠક્ષણ કેવી તે બનાવશો ? ૨૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy