SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ (સો ડગલાંથી દૂર હોય તો ગમણાગમણે કરી) થાળી-વાટકી વગેરેનું પડિલેહણ કરી બેસવાની જગા પૂંજવી અને વાપરવા જાય ત્યારે ઘરમાં પ્રવેશ કરતાં ‘જયણા મંગલ’ બોલવું. (૫) વાપર્યા પછી ઈરિત કરી જગચિંતામણિ ચૈત્યવંદન કરી, ‘જય વીયરાય’ સુધી કહેવું. પછી ખમા૦ દઈ ‘અવિવિધ આશાતના મિચ્છામિ દુક્કડં' કહેવું. (૬) ઉપાશ્રયમાં પેસતાં ૩ વાર ‘નિસીહિ’ અને નીકળતાં ૩ વાર ‘આવસહી’ કહેવાનો ઉપયોગ રાખવો. (૭) રાત્રે પૌષધશાળાએ રૂના પુંમડા દિવસે યાચી પડિલેહણ કરી રાત્રે બંને કાનમાં રાખવા. (૮) પૌષધમાં લીલોતરીનો ત્યાગ કરવાનો હોય છે. (૬૬) ૮ માત્રુ (પેશાબ) જવાનો વિધિ માત્રુ કરવા જનારે પ્રથમથી જ કુંડી, પૂંજણી અને અચિત્ત પાણી યાચીને રાખવાં. જ્યારે માત્રુ કરવા જવું હોય ત્યારે માતરિયું (માત્ર કરતાં ૫હે૨વાનું વસ્ત્ર) પહેરી, પૂંજણીથી કુંડી પ્રમાર્જી, તેમાં માત્રુ કરીને પરઠવવાની જગાએ મૂકી, જંતુ વિનાની ભૂમિ જોઈને ‘અણુજાણહ જસ્સુગ્ગહો' બોલી માત્રુ પરઠવીને કુંડી નીચે મૂકી ‘વોસિરે, વોસિરે, વોસિરે.' એમ ત્રણ વાર કહી, કુંડી હાથમાં લઈ મૂળ જગાએ ઇંટાદિ પર મૂકવી. પછી હાથ અચિત્ત પાણીથી ધોઈ (પગ અપવિત્ર થયા હોય તો તે પણ શુદ્ધ કરે) વસ્ત્ર બદલી સ્થાપનાચાર્ય સન્મુખ ઈરિત કરી ગમણાગમણે આલોવે. (બોલે). (૬૬) D સ્થંડિલ (ઠલ્લ આદિ માટે શુધ્ધિ ભૂમિ જવાનો વિધિ જ્યારે સ્થંડિલ જવું હોય ત્યારે માતરિયું પહેરી, કામળી કાળ હોય તો કામળી ઓઢી, કટાસણું ખભે મૂકી, ચરવળો ડાબી કાંખમાં નાખી, મુહપત્તિનો ઉપયોગ ન રહે તો કેડે ખોસી, જાચી લીધેલ અચિત્ત પાણીનો નાનો લોટો કે તેવું પાત્ર લઈ જાય. ત્યાં જગા બરાબર જંતુરહિત તપાસીને ‘અણુજાણહ જસુગ્ગહો' કહીને બાધા ટાળે પછી ઊઠતાં ‘વોસિરે, વોસિરે, વોસિરે.' એમ ત્રણ વાર કહી ઉપાશ્રયે આવી પગનું પ્રક્ષાલન કરી, વસ્ત્ર બદલી સ્થાપનાચાર્ય સન્મુખ ઈરિ કહી ગમણાગમણે આલોવે. (૬૬) E સત્તર સંડાસા (પ્રમાર્જના)ની વિધિ ખમાસમણ તથા વાંદણા દેતાં સત્તર સ્થાનકે ચરવળાથી પ્રમાર્જવાની જરૂર છે. તે આ પ્રમાણે - (૧) જમણા પગનો કેડથી નીચેનો પગ પર્યંત પાછલો સર્વભાગ (૨) પાછળનો કેડ નીચેનો મધ્ય ભાગ, (૩) ડાબા પગનો કેડ નીચેનો પાછલો પગ પર્યંત સર્વ ભાગ, (૪) તેવી જ રીતે આગળનો જમણો ભાગ, (૫) મધ્ય ભાગ, (૬) ડાબો પગ. SACRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCRCR ૨૪ દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિgમણ દેવી તે બનાવશો ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy