SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ બહાર ખુલ્લામાં જવું હોય તો કામળીના કાળમાં કાળી ઓઢવી. કામળીનો કાળ – * કા. સુ. ૧૫ થી ફા. સુ. ૧૪ સુધી સૂર્યોદયથી ૯૬ મિનિટ સુધી સૂર્યાસ્ત પહેલાં ૯૬ મિનિટથી * ફા. સુ. ૧૫ થી અષાઢ સુ. ૧૪ સુધી સૂર્યોદયથી ૪૮ મિનિટ સુધી સૂર્યાસ્ત પહેલાં ૪૮ મિનિટથી *અષાઢ સુ. ૧૫ થી કા.સુ. ૧૪ સુધી સૂર્યોદયથી ૨ કલાક ૨૪ મિનિટ સુધી સૂર્યાસ્ત પહેલાં ૨ કલાક ૨૪ મિનિટથી ((6) B પોષધની અંતર્ગત આવતી ક્રિયાઓ) (૧) દેવદર્શન કરીને (દરાસર સો ડગલાની બહાર હોય તો) અથવા ક્યાંય પણ ઉપાશ્રયથી સો ડગલા વધારે જઈને પાછા આવે ત્યારે અથવા ઠલ્લે માત્રુ (સો ડગલાંની અંદર ગયા હોય તો પણ) જઈને આવ્યા બાદ તરત ઈરિયાવહિયં કરવા તથા પ્રગટ લોગસ્સ કહી ખમા૦ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! ગમણાગમણે આલોઉં? (આવતાં જતાં જે વિરાધના થઈ હોય તેની આલોચના કરું ?) ગુરુ ભગવંત આલોએ (આલોચના કરો) એમ આદેશ આપે એટલે “ઈચ્છે' કહી નીચેનો પાઠ બોલવો. ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાનભંડ મત્તનિષ્ણવણ સમિતિ, પારિષ્ઠાપનિકા સમિતિ, મનગુપ્તિ વચનગુપ્તિ, કાયગુપ્તિ એ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ એ અષ્ટ પ્રવચનમાતા શ્રાવક તણે ધર્મે પોસહ લીધે રૂડી પરે પાલી ન હોય, ખંડના વિરાધના થઈ હોય તે સવિહુ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડમ્. (આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનો અર્થ “પંચિંદિય સૂત્ર'ની ટિપ્પણીમાં આપેલ છે.) (૨) જેણે સવારે પોસહ લીધો નથી અને ફક્ત રાત્રિએ જ પોસહ કરવો છે, તેને માટે તથા જેણે સવારે દિવસનો જ પોસહ લીધેલ છે પછી રાત્રિ પોસહ કરવાનો વિચાર થયો તેણે પોસહ લેવાની વિધિ પ્રમાણે ઈરિ૦ કહી પ્રગટ લોગસ્સ કરી, જયારે પોસહ દંડક ઉચ્ચરાવવાનો આવે ત્યારે “જાવ દિવસ કે અહોરન્ત' ને બદલે “જાવ સેસદિવસ રત્તિ ચ” પજ્વાસામિ એમ કહેવું. (૩) રાત્રિ પૌષધ કરનારે સાંજે પડિલેહણ કરે ત્યારે “બહુપડિપુન્ના પોરિસિ' એ આદેશ ન માગતાં સીધી ઈરિ. કરવી અને પછી ફક્ત પડિલેહણ કરું ? એ આદેશ માગવો “પૌષધશાલા પ્રમાર્જુ' એ આદેશ ન માગે. (૪) પૌષધમાં વાપરવાનું હોય તો પુરિમઠું પચ્ચખાણ આવે ત્યારે પચ્ચખાણ પારવાની વિધિ પ્રમાણે પચ્ચખાણ પારી જયાં વાપરવાનું હોય ત્યાં જઈ ઈરિ૦ કરી XAURURURURURURLAUAXER820RRURURURLARRURA é ces ulatoarelo era ulashi gd ad Gloricient ? 203 For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy