SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ પૌષધ આઠ પ્રહરનો અને ચાર પ્રહરનો એમ બે રીતે લઈ શકાય છે. ચાર પ્રહરનો પૌષધ દિવસનો અથવા રાત્રિનો હોય છે. જેણે આઠ પ્રહરનો પૌષધ કરવો હોય અથવા દિવસનો ચાર પ્રહરનો પૌષધ કરવો હોય તેણે સવારે સૂર્યોદય પહેલાં પૌષધ લેવો જોઈએ. દરેક પૌષધમાં બંને ટાઈમ પ્રતિક્રમણ અને તપમાં ઓછામાં ઓછું એકાસણું આવશ્યક છે. સવારે પ્રતિક્રમણ કરીને પૌષધ લઈ શકાય છે તથા પૌષધ લઈને પણ પ્રતિક્રમણ કરી શકાય, પણ સૂર્યોદય પહેલાં પૌષધ લેવાઈ જાય તેમ કરવું. તેની વિધિ નીચે પ્રમાણે છે – સ્થાપનાચાર્ય સ્થાપી અથવા ભગવાનની સમક્ષ પ્રથમ ખમાસમણ દઈ ઈરિયાવહી પડિક્કમી લોગસ્સ સુધી ક્રિયા કરવી. પછી ખમા દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પોષહ મુહપત્તિ પડિલેહું ?' એમ બોલી, ગુરુ આદેશ આપે એટલે ‘ઇચ્છે' કહીને મુહપત્તિ પડિલેહવી. પછી ખમા “ઇચ્છા, સંદિ0 ભગવત્ પોસહ સંદિસાહું? “ઇચ્છે' ખમા, ઇચ્છાસંદિ૦ ભગવતુ પોસહ ઠાઉં ?” “ઇચ્છે' કહી ઊભા થઈ બે હાથ જોડી નવકાર ગણી, “ઇચ્છકારિ ભગવદ્ પસાય કરી પોસહદંડક ઉચ્ચરાવોજી' કહેવું એટલે ગુરુ પોસહનું કરેમિ ભંતે ઉચ્ચરાવે. શ્રી પોસહનું પચ્ચકખાણ કરેમિ ભંતે! પોસહં, આહાર પોસહં દેસઓ સવ્વઓ, કરે છું ભગવાન ! પૌષધ આહાર પૌષધ દેશથી કે સર્વથી, શરીરસક્કાર પોસહં સવ્વઓ, બંભચેર પોસહં સવ્વઓ, શરીરસત્કાર પૌષધ સર્વથી, બ્રહ્મચર્ય પૌષધ સર્વથી, * આ સૂત્ર વડે પોસહનું પચ્ચખાણ લેવાય છે. પ્રત્યાખ્યાન શબ્દનો અર્થ ત્યાગ કરવું અને પાળવું-સેવન કરવું, એમ બંને પ્રકારે થાય છે. તેથી આહારપોસહં એટલે આહારનો ત્યાગ કરવારૂપ પોસહ કરું છું એમ અર્થ થાય છે. તેવી જ રીતે શરીરસક્કારપોસહં એટલે શરીરની શોભા ન કરવારૂપ પોસહ કરું છું, એ બંને બાબત ત્યાગ કરવાની છે. બંભચેરપોસહં અને અવ્વાવારપોસહં એટલે બ્રહ્મચર્યને પાળવારૂપ અને અવ્યાપાર (મન, વચન અને કાયાના સાવઘયોગ ત્યાગકરણરૂપ)ને પાળવારૂપ પોસહ કરું છું, એમ બંને પદનો અર્થ પાલન કરવાનો થાય છે. સામાયિક અને પોસહમાં ત્રણ કાળ સંબંધી પચ્ચષ્માણ થાય છે તે આ પ્રમાણે કરેમિ પદ વડે વર્તમાનકાળે સાવઘયોગનો ત્યાગ કરવારૂપ પચ્ચખાણ થાય છે. તસ્સ પદ વડે અતીતકાળે (ભૂતકાળ) કરેલા સાવદ્યયોગનું પ્રતિક્રમણ થાય છે અને સામાયિકમાં પચ્ચક્ઝામિપદવડે અનાગતકાળે (નિયમપર્વતના ભવિષ્યકાળ) સાવઘયોગ નહિ કરીશ, એમ પચ્ચખ્ખાણ થાય છે અને પોસહમાં ઠામિ પદ વડે અનાગતકાળે બે બાબતનો ત્યાગ અને બે બાબતનું પાલન કરીશ, એ પ્રકારનો (ધર્મની પુષ્ટિ આપે તે) પોસહ કરીશ, એમ પચ્ચખ્ખાણ કરાય છે. ૧. ભંતે એ પદના ભદંત (કલ્યાણકારી), ભયાન્ત (ભયનો અંત કરનાર) અને ભવાન્ત (ભવનો અંત કરનાર) એવા ત્રણ અર્થ થાય છે. અંતે એ પ્રકારે ભગવંતને આમંત્રણ કરવા વડે કરીને ગુરુકુલવાસનું સૂચન થાય છે, અર્થાત્ સાધુઓએ ગુરુનિશ્રાએ રહેવું અને ગૃહસ્થ ગુરુ મહારાજ પાસે સામાયિક ઉચ્ચરવું, એમ સૂચવાય છે. 888888888AXACAURURSACR8888888888888888 ૨૦૦ દ્રવ્ય પ્રતિક્રમણને ભાવ પ્રતિમા કેવી ?તે બનાવશો ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy