SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ((૬૪) સંવચ્છરી પ્રતિક્રમણની વિધિ) એમાં પણ ઉપર લખ્યા મુજબ પદ્ધિની વિધિ પ્રમાણે કરવું, પણ એટલું વિશેષ કે બાર લોગસ્સના-કાઉસ્સગ્નને ઠેકાણે ચાલીસ લોગસ્સ અને એક નવકાર, ન આવડે તો એકસોને સાઠ નવકારનો કાઉસ્સગ્ન કરવો અને તપને ઠેકાણે સંવચ્છરી લેખે અટ્ટમ ભત્તેણં, ત્રણ ઉપવાસ, છ આયંબિલ, નવ નીવિ, બાર એકાસણાં, ચોવીસ બિઆસણાં અને છહજાર સ્વાધ્યાય એ રીતે કહેવું, અદ્ભુઢિઓ ખાવામાં એક પર્માસ્સપનરસ રાઈદિયાણના સ્થાને બાર માસાણં ચોવીસ પદ્માણ ત્રણ સો સાઠ રાઈદિયાણું કહેવું અને પદ્ધિ શબ્દને ઠેકાણે “સંવચ્છરો વઈર્ષાતો સંવચ્છરિએ વઈક્કમ' શબ્દ કહેવો. છીંક આવે તો – પખિ-ચઉમાસી અને સંવર્ચ્યુરી પ્રતિક્રમણમાં અતિચાર પહેલાં છીંક આવે તો ચૈત્યવંદનથી ફરીથી શરૂઆત કરવી જોઈએ અને અતિચાર પછી છીંક આવે તો દુક્ષ્મદ્ભય કમ્મસ્મયના કાઉસ્સગ્ન પહેલાં છીંકનો કાઉસ્સગ્ન કરવો. ((૫) છીંકના કાઉસગ્નની વિધિ) સઝાય કર્યા પછી ઇચ્છા, સંદિસહ ભ૦ મુદ્રોપદ્રવ ઓટ્ટાવણ€ કાઉસ્સગ્ન કરે ? ઈચ્છે, ક્ષુદ્રોપદ્રવ ઓહફ્રાવણ€ કરેમિ કાઉસ્સગ્ન અન્નત્થ૦ ચાર લોગસ્સ સાગરવરગંભીરા સુધીનો કાઉસ્સગ્ન ન આવડે તો ૧૬ નવકારનો કાઉસ્સગ્ન પારી નમોડહO કહી નીચેની થોય કહેવી. સર્વે યક્ષામ્બિકાઘા યે, વૈયાવૃજ્યારા જિને ! શુદ્રોપદ્રવ-સંઘાત,તે કુતં દ્રાવયન્તુ નઃ | અર્થ - જિનેશ્વરને વિષે વૈયાવચ્ચ કરનારા સર્વે યક્ષો અને અંબિકાદિ વગેરે (દેવીઓ) જલ્દીથી અમારા ક્ષુદ્ર ઉપદ્રવના સમૂહને દૂર કરો. પછી લોગસ્સ કહી આગળનો વિધિ ચાલુ કરવો. ( (૬) ક્યોસહ વિધિ) પૌષધ વિધિ તથા સવારના પડિલેહણની વિધિ : * ધર્મની પુષ્ટિને જે ધારણ કરે તેને “પૌષધ' કહીએ. શ્રાવકનાં બાર વ્રતમાં એ અગ્યારમું વ્રત છે. અષ્ટમી ચતુર્દશી વગેરે પર્વતિથિઓને દિવસે ચાર પહોરનો અથવા આઠપહોરનો પૌષધ કરવામાં આવે છે. તે પૌષધના મુખ્ય ચાર ભેદ છે. ૧. આહાર પોસહ-ઉપવાસ વગેરે તપ કરવો તે. ૨. શરીર સત્કાર પોસહ-શરીરની સ્નાન વિલેપનાદિ વડે વિભૂષા-સત્કાર ન કરવો તે. ૩. બ્રહ્મચર્ય પોસહ-શિયળ પાળવું તે અને ૪. અવ્યાપારપોસહ-સાવદ્ય વ્યાપાર (ક્રિયા)એ સર્વનો ત્યાગ કરવો તે. આ ચારે પ્રકારના પોસહના દેશથી અને સર્વથી એમ બે બે ભેદ થતાં મુખ્ય આઠ ભેદ થાય છે અને સંયોગી ભેદ ૮૦થાય છે, પરંતુ પૂર્વાચાર્યની પરંપરાએ હાલમાં માત્ર આહાર પોષધ દેશથી અને સર્વથી કરવામાં આવે છે. બાકીના ત્રણ પ્રકારના પોસહ તો સર્વથી જ થઈ શકે છે. આહાર પોસહમાં ચઉવિહાર ઉપવાસ કરવો તે સર્વથી અને તિવિહાર ઉપવાસ, આયંબિલ, નીવિ અને એકાસણું કરવું તે દેશથી સમજવો. માત્ર રાત્રિના ચાર પહોરનો પોસહ કરનારે પણ દિવસે એમાનું કાંઈ પણ વ્રત કરેલું હોવું જોઈએ, એવો નિયમ છે અને ફક્ત રાત્રિ (સાંજે) પૌષધ લેનારે કરેમિ ભંતે માં “જાવ શેષદિવસ રત્તિ પજુવાસામિ' બોલવું. LAURORVAVAVAVARURVAVARRUARRCRURUARVAVA દવ્ય પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી સર્ત બનાવશો ? ૧૯૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy