SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પાક્ષિક પ્રતિક્રમણના હેતુઓ • દરેક ચૌદશે પફિખ પ્રતિક્રમણ કરવું જોઈએ. • પ્રશ્ન-૧ : દેવસિ તથારાઈ પ્રતિo દરરોજ કરવાથી ૧૫ દિવસના પાપની શુદ્ધિ થઈ ગઈ તો પછી ચૌદશ પકિન પ્રતિo કયા હેતુથી કરાય છે ? જવાબ : સવાર-સાંજનું પ્રતિ૭ રોજ કરવા છતાં પણ બાકી રહી ગયેલ દોષની શુદ્ધિ માટે ચૌદશનું પ્રતિક્રમણ કરાય છે. તેલ વિગેરેથી શરીરને ચમકતું કરવા છતાં પણ પાવડર, વિલેપન અને દાગીના વડે, અધિક શોભાયમાન કરાય છે તથા ઘરને રોજ સાફ કરવા છતાં પણ હોળી દિવાળી આદિ પર્વાદિમાં ચારે બાજુથી ખૂણે ખાંચરેથી સાફ કરાય છે તેમ અહીં પણ સમજવું. ચૌદશના પ્રતિ માં પ્રારંભથી, પુરુ વંદિત્તું કહે ત્યાં સુધીમાં દેવસિ પ્રતિ ની જેમ વિધિ તથા હેતુઓ વિગેરે જાણવા, તે પછી ખમા. દઈને દેવસિઅ આલોઈએ પડિકkતા ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પફિખ મુહપત્તિ પડિલેહું? એમ બોલીને મુહપત્તિ પડિલેહી વાંદણા દેવા. પછી સંબુદ્ધા ખામણેણં અભુટિઓમિ અભિંતર પકિMઅં ખામેઉં ? ઈચ્છે ખામેમિ પફિખએ કહી ગુરુ સહિત ત્રણને પણ બે શેષ (બાકી) રહેતા હોય તો અનુક્રમે અમ્મુઠ્ઠિઓ કરવો. પ્રશ્ન-૨ : અહી સંબુદ્ધા કહી અભુઠ્ઠિઓ કયા હેતુથી કરાય છે ? જવાબઃ ક્ષમા પ્રધાન એવી સર્વ ક્રિયા સફળ થાય છે એમ જણાવતા સંબુદ્ધ એવા ગુર્નાદિકને ખમાવવા માટે આ અદ્ભુઢિઓ બોલાય છે. પછી ઊભા થઈ ઇચ્છા, સંદિ0 ભગ0 પફિખઅં આલોઉં? ઇચ્છે, આલોએમિ જોએ પફિખઓ, ઈત્યાદિ કહી પાક્ષિક અતિચાર કહે, પછી સવ્વસ્સવિ પફિખા ઇત્યાદિ સૂત્ર કહી, ઈચ્છકારી ભગવન પસાય કરી પકિન તપ પસાય કરાવશોજી કહી પફિખનું પ્રાયશ્ચિત માગે અને ગુરુ ચઉત્થણે કહી પફિખ લેખે પ્રાયશ્ચિત આપે, તે પૂરો કર્યો હોય તો પઇક્રિઓ' કહે. કરી આપવાનો હોય તો “તહત્તિ કહે. નહિ તો મૌન રહે. પછી વાંદણા દઈ ઈચ્છા. સંદિ. ભ. પ્રત્યેક ખામણેણં અભુટિઓમિ અભિતર પકિખ ખામેઉં? ઇચ્છે કહી ગુરુ આદિ ત્રણને બે શેષ રહેતા હોય તો અનુક્રમે ખમાવે, તે પછી વાંદણા દઈને દેવિસિઅં આલોઇઅ પડિકંતા, ઈચ્છા૦ સદિo ભગ0 પફિખએ પડિક્કમાવેહ, કહે ત્યારે ગુરુ ભગવંત “સમ્મ પડિક્કમેહ' કહે પછી, કરેમિભંતે તથા ઇચ્છામિ પડિક્કમિઉં! જો મે પિિખઓ... કહીને ખમાસમણ આપીને ઇચ્છા સંદિ0 ભ૦ પખિસુત્ત સંભળેમિ? ઇચ્છે કહી પછી પફિખસૂત્ર બોલનાર (૨૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy