SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ સંતિમહામુણિણો-શાંતિનાથ મહામુનિને, સંતિક-શાંતિને કરનાર, સયાં મમનિરંતર મને, નિવુઈકારણય-મોક્ષનું કારણ, નમસણય-નમસ્કાર. અર્થ - કાયિકી આદિ પચ્ચીશ ક્રિયાના ભેદ વડે ભેગા કરેલા કર્મના ફ્લેશથી સંપૂર્ણપણે મૂકાવનારા, અન્ય દર્શનીય દેવોના વંદનના પુણ્ય વડે નહિ જિતાયેલ, ગુણો વડે પરિપૂર્ણ મહામુનિઓની અણિમાદિક સિદ્ધિઓને પ્રાપ્ત કરાવનાર, શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ મહામુનિને કરેલ નમસ્કાર હંમેશાં મને શાંતિને કરનાર અને મોક્ષનું કારણ થાઓ. (એ બંને પ્રભુ સ્તુત્ય) પુરિસા જઈ દુખવારણ જઈ આ વિમગ્ગહ સુખકારણ ! હે પુરુષો ! જો દુઃખનું નિવારણ, જો અને શોધો છો સુખનું કારણ, અજિઆં સંતિ ચ ભાવઓ, અભયકરે શરણં પહજહા IIઘા માગહિઆ . શ્રી અજિતનાથને શ્રી શાંતિનાથને અને ભાવથી અભય કરનારા શરણને સ્વીકારો. શબ્દાર્થ -પુરિસા-હે પુરુષો, જઈ-જો, દુખવારણ-દુઃખનું નિવારણ, વિમગ્ગહશોધતી હો, સુખકારણ-સુખનું કારણ, ભાવ-ભાવથકી, અભયકરે-નિર્ભયતાને કરનારાને, સરણ-શરણે, પવન્જહા-પ્રાપ્ત થાઓ. અર્થ - હે મનુષ્યો ! જો તમે દુઃખનું નિવારણ અને સુખનું કારણ શોધતા હો તો અભયને કરનારા શ્રી અજિતનાથને અને શ્રી શાંતિનાથનું શરણ ભાવથી સ્વીકારો. (શ્રી અજિતનાથ ભગવાનની સ્તુતિ) આરઈરઈતિમિરવિરિહિઅ-મુવચનજરમરણ, અરતિ, રતિ તથા અજ્ઞાન વડે રહિત અને નિવૃત્ત થયાં છે જરા અને મરણ જેમના, * કાયિકી વગેરે પચ્ચીશ ક્રિયા તેનું સ્વરૂપ નવતત્ત્વમાંથી સમજવું. - અણિમાદિ આઠ સિદ્ધિ આ પ્રમાણે : ૧. કમળના જેવા ઝીણા છિદ્રમાં પણ પ્રવેશ કરવાની શક્તિ તે અણિમા. ૨. મેરુ પર્વત કરતાં પણ મોટું શરીર વિક્ર્વી શકાય તે મહિમા. ૩. અત્યંત ભારે થવાની શક્તિ તે ગરિમા. ૪. વાયુ કરતાં પણ હલકા થવાની શક્તિ તે લધિમા. ૫. ઉપર રહ્યા છતાં અંગુલીના અગ્ર ભાગ વડે મેરુ પર્વતની ટોચ અને સૂર્યાદિને સ્પર્શ કરવાની શક્તિ તે પ્રાપ્તિ. ૬. પાણીમાં પૃથ્વીની જેમ પગે ચાલે અને પૃથ્વી ઉપર પાણીની જેમ ડૂબી જઈ બહાર નીકળે એવી શક્તિ તે પ્રાકામ્ય. ૭. સ્થાવર પણ આજ્ઞા માને એવી શક્તિ-તીર્થકર ચક્રવર્તિની ઋદ્ધિને વિસ્તારી શકે એવી પ્રભુતા તે ઈશિત્વ. ૮. જીવ અને અજીવ સર્વ પદાર્થ વશ થાય એવી શક્તિ તે વશિત્વ. XAYRURKRXURXRXAXDURYE®282828RRURURURUARA ૧૫૪ ૮cશ પ્રતિમાને ભાવ પ્રતિમા કેવી રીતે બનાવશો ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy