SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂયાત્-થાઓ, નઃ-અમને, સુખદાયિની-સુખ આપનારી. અર્થ - જે દેવીના ક્ષેત્રને આશ્રય કરીને સાધુઓ વડે ધર્મક્રિયા સધાય છે. તે ક્ષેત્રદેવી હંમેશાં સુખ આપનારી થાઓ. (૫૪) શ્રી અજીતશાંતિ સ્તવન * (મંગલાચરણ - ૨જા અને ૧૬મા પ્રભુની સ્તુતિ.) અજિઅં જિઅસવ્વભયં*, સંતિ ચ પસંતસળગયપાવું | શ્રી અજિતનાથને, જીત્યા છે સર્વ ભય જેમણે, શ્રી શાંતિનાથને અને શાંત પામ્યા છે સર્વ રોગ અને પાપ જેમના, જયગુરુ સંતિગુણકરે, દોવિ જિણવરે પણિવયામિ ૧ માહા જગતના ગુરુ, શાંતિ રૂપ ગુણને કરનારા તે બંને પણ જિનેશ્વરોને હું પ્રણામ કરું છું. શબ્દાર્થ - અજિઅં-અજિતનાથને, જિઅસવ્વભયં-જીત્યા છે સર્વ ભયો જેમણે એવા, સંતિ-શાંતિનાથને, પસંત-વિશેષે શાંત કર્યા છે, સર્વાંગયપાવં-સર્વ રોગ અને પાપ જેમણે એવા, જયગુરુ-જગતના ગુરુ, સંતિગુણકરે-શાંતિરૂપગુણના કરનારા, દોવિ-બંને, જિણવરે-જિનેશ્વરોને, પણિવયામિ-પ્રણામ કરું છુ. અર્થ - જીત્યા છે સર્વ ભય જેમણે એવા શ્રી અજીતનાથને અને શાંત પામ્યા * પૂર્વે શ્રી વર્ધમાન-જિનશિષ્ય શ્રી નંદિષેણજી શ્રી શત્રુંજય તીર્થે યાત્રાર્થે ગયેલા. ત્યાં મૂળ પ્રાસાદમાં પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ જિનને નમસ્કાર કરીને બે પ્રાસાદમાં રહેલા. અજિતનાથ અને શાંતિનાથને નમસ્કાર કરીને તે બંને પ્રાસાદના વચ્ચે કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. યથાશક્તિ કાઉસ્સગ્ગ પૂર્ણ કરીને શ્રી અજિતનાથ અને શાંતિનાથ જિનની એક સાથે સ્તુતિ કરી. એ પ્રમાણે શ્રી મહાવીરજિન શિષ્ય નંદિષેણ મહર્ષિએ આ અજિતશાંતિ સ્તવન રચ્યું. કોઈ આચાર્ય વળી એમ કહે છે કે શ્રી નેમિનાથ શિષ્ય શ્રી નદિષેણગણિ શ્રી શત્રુંજય તીર્થે યાત્રાર્થે આવેલા ત્યારે ઉત્તર-દક્ષિણ દિશામાં રહેલા શ્રી અજિતનાથ અને શાંતિનાથના બે પ્રાસાદના અંતરાલે રહીને શ્રી અજિતનાથ અને શાંતિનાથ જિનની સ્તુતિ એક સાથે કરી. શ્રી શત્રુંજય કલ્પને વિષે કહ્યું છે કે – નેમિવવળેળ જ્ઞત્તાણુળ ગત્તિ સંવિસેળ ખવડ્યા, વિદિયો બિગસંતિયો, નૈયર્ડ યં પુંડરિયં તિથૅ આ પ્રકારે અજિતશાંતિ સ્તવના કર્તા શ્રી નંદિષેણને કોઈ શ્રી મહાવીર જિન શિષ્ય અને કોઈ શ્રી નેમિજિન શિષ્ય કહે છે. અહીં બહુશ્રુત કહે તે પ્રમાણ. * ભય સાત છે તે આ પ્રમાણે - ૧. ઇહલોક ભય, ૨. પરલોક ભય, ૩. આદાન ભય, ૪. અકસ્માત ભય, પ. આજીવિકા ભય, ૬. મરણ ભય અને ૭. અપકીર્તિ ભય. * આ ગાથા છંદ છે SAURUAUREATACAUAYANACAURULERUAAAAAAUA દવ્ય પ્રતિજ્ઞાને ભાવ પ્રતિકમણ કેવી રીતે બનાવશો ? ૧૫૧ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy