SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ બાકીના સમસ્ત અતિચારથી પાછા પડવા માટે મુનિ શ્રમણ સૂત્રને બોલે છે. શ્રાવક – નવકાર, કરેમિભંતે, અને ‘ઇચ્છામિ પડિક્કમિઉં' એ ત્રણ સૂત્રો બોલીને વંદિતા સૂત્રને કહે છે. પ્રશ્ન-૧૭ : શ્રાવકને વંદિતા પહેલા ૩ સૂત્રો જ કેમ બોલાય છે ? જવાબ : શ્રાવક : ઉપરોત હેતુથી પોતાની પરંપરા પ્રમાણે ૩ સૂત્રો બોલીને વંદિત્તા સૂત્રને કહે છે. પ્રશ્ન-૧૮: ‘અભુટિઓમિ આરાણાએથી શ્રમણ સૂત્રકે વંદિતુ સૂત્ર ઊભા ઊભા કેમ બોલાય છે ? જવાબ : અતિચાર, રૂપ પાપના ભારથી હલકો થયો છે, માટે ઊભા થવાનું છે. પણ બે રીતે ઊભા થવાનું છે. (૧) દ્રવ્યથી ઊભા થઈને (૨) ભાવથી આરાધના કરવા માટે ઊભો થયો છું એમ સૂચવા માટે. એક્યુટ્ટિઓમિ આરાહણાએથી ઊભા થઈને અવગ્રહની બહાર નીકળીને પૂર્વની જેમ વાંદણામાં ગુરુ પાસે પ્રતિક્રમણ આવશ્યક કરવા. અવગ્રહમાં પ્રવેશ કર્યો હતો તે કાર્ય પૂરું થતાં હવે અવગ્રહની બહાર નીકળે. મુનિ શ્રમણ સૂત્રને અને શ્રાવક વંદિતા સૂત્રને પૂરું કરે. • અહીં ૪થું આવશ્યક પ્રતિક્રમણ (વંદિત) પૂરું થાય છે. આ પ્રતિક્રમણ વડે ચાર પ્રકારના કર્મ – પૃષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિતમાંથી પ્રથમના બે પ્રકારના પાપકર્મ દૂર થાય છે. • તે પછી વાંદણા આપે પ્રશ્ન-૧૯ : વંદિત્તા પછી તરત વાંદણા અપાય છે તે કયા હેતુથી ? જવાબ : તસ્ય ધમ્મસ્સ કેવલિ પ્રશ્નત્તસ્સ સુધી અતિચારનું પ્રતિક્રમણ કર્યા પછી ગુરુ પ્રત્યે થયેલા પોતાના અપરાધને ખમાવવાને માટે અને પાપથી પાછા પડવા માટે. વંદિત્તા પછી તરત વાંદણા વડે વંદન કરાય છે. • વંદન આઠ કારણે કરાય છે. (૧) પ્રતિક્રમણ, (૨) સજઝાય (સ્વાધ્યાય), (૩) કાઉસ્સગ કરવા, (૪) અપરાધ ખમાવવા, (૫) પરોણા સાધુ આવે ત્યારે, (૬) આલોચના લેતા (૭) પચ્ચક્ખાણ લેતા, અને (૮) અણસણ કરતી વખતે તેમાં અહીં ૧લા અને ૪થા કારણે વાંદણા અપાય છે. હવે તે પછી “અમ્મુઢિઓ”ના પાપથી ગુરુને ખમાવવા. (તેમાં પાંચ ઉપર મુનિરાજો હોય તો ગુરુ સહિત ત્રણને ખમાવવા) પછી. પ્રશ્ન-૨૦ : અમ્મુઢિઆ પછીના બે વાંદણા કયા હેતુથી દેવાય છે ? જવાબ : આઠ કારણોમાંના ૩જા કારણ એવા, કાઉસગ કરવા માટે ફરી બે વાંદણા દેવાના છે. • તે પછી ભૂમિને પૂંજીને અવગ્રહમાંથી બહાર નીકળીને આયરિય ઉવઝાય સૂત્ર ૩ ગાથા રૂપ બોલે. (૧૩) For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004821
Book TitleDravya Pratikramana ne Bhav Pratikramana Kevi Rite Banavsho
Original Sutra AuthorN/A
AuthorBhaveshratnavijay
PublisherBhaveshratnavijay
Publication Year2006
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Spiritual
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy